મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે એસટીના ભાડામાં કરાયેલ વધારો પાછો ખેંચવા કરી મંત્રી સમક્ષ માંગ


SHARE













માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે એસટીના ભાડામાં કરાયેલ વધારો પાછો ખેંચવા કરી મંત્રી સમક્ષ માંગ

ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં ૧૦ ટકા જેટલો વધારો કરેલ છે જેથી કરીને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને તેનો માર પડે તેવી પરિસ્થિતિ ઊભી થયેલ છે જેથી કરીને માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વાહનવ્યવહાર નિગમના કેબિનેટ મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલીક ધોરણે ભાવવધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવેલ છે.

માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કલારિયા વાહનવ્યવહાર નિગમના કેબિનેટ મંત્રી હર્ષકુમાર સંઘવીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, તાજેતરમાં એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવેલ છે. જોકે, મોરબી જીલ્લામાં હાલમાં ડ્રાઈવર તથા કન્ડકટરોની ઘટ છે. અનેક રૂટો પણ બંધ કરવામાં આવેલ છે. જેના કારણે વિદ્યાર્થીઓ તથા મુસાફરો જે તે સ્થળે સમયસર પહોંચી શકતા નથી અને ભારે હાલાકી ભોગવી રહેલ છે. હાલમાં મોંઘવારીએ માઝા મુકેલ છે. અનેક ઉદ્યોગો પડી ભાંગવાના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને રોજીરોટી મેળવવી પણ મુશ્કેલ બની ગયેલ છે. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા ૧૦ ટકા જેટલો ભાડામાં વધારો કરવાના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો "પડયા પર પાટુ" મારવામાં આવી રહ્યું હોય તેવું અનુભવી રહ્યું છે ત્યારે એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં જે વધારો કરવામાં આવેલ છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News