મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પીટલના બાળરોગ વિભાગે ઈમરજન્સી સારવાર આપીને ૮ વર્ષના બાળકને ભયમુક્ત કર્યો


SHARE





મોરબી આયુષ હોસ્પીટલના બાળરોગ વિભાગે ઈમરજન્સી સારવાર આપીને ૮ વર્ષના બાળકને ભયમુક્ત કર્યો

મોરબીની આયુષ હોસ્પીટલમાં આધુનિક સારવાર હવે મળી રહી છે ઈમરજન્સી સહિતની સેવાઓ મળતા દર્દીઓને હવે રાજકોટ કે અમદાવાદ ધક્કો ખાવાની જરૂરત પડતી નથી અને ગંભીર રોગમાં કે પછી ઈમરજન્સી જેવી સ્થિતિમાં યોગ્ય સારવાર મળી રહે છે

૮ વર્ષ ના બાળક ને રમતા રમતા હાથમાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું ત્યાર બાદ તેને ખેંચ આવી હતી અને અર્ધ ભાન અવસ્થા થઈ ગયેલ હતી. ત્યાર બાદ બાળકને આયુષ હોસ્પિટલ ના ઇમરજન્સી વિભાગ માં સારવાર માટે લાવેલ. ત્યાં તપાસ કરતા જણાયું કે બાળક બેભાન અવસ્થા માં હતું અને પોતાના શ્વાસોશ્વાસ બંધ થઈ ગયેલ હતા. આયુષ હોસ્પિટલ ની બાળરોગ વિભાગની ટીમ એ તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધેલ હતી અને તેને શ્વાસ ના મોટા મશીન (વેન્ટિલેટર) પર રાખવામાં આવેલ હતું. બે દિવસ ની સઘન સારવાર બાદ બાળક ની તબિયત નોર્મલ થઈ ગયેલ હતી એટલે બાળક ને તંદુરસ્ત રજા કરવામાં આવેલ હતી.દર્દીના પરિવાર દ્વારા આભાર માનવામા આવ્યો.




Latest News