હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો ટંકારાના મીતાણા ગામે મચ્છી લેવા ગયેલા દીકરાને થપ્પડ મારીને યુવાનને ચાર શખ્સોએ હોકી-પાઇપથી માર માર્યો મોરબીના વીસીપરામાં દુકાન પાસે બેઠેલા બે યુવાન ઉપર નજીવી વાતમાં છરી વડે હુમલો: બે સામે ફરિયાદ માળીયા (મી)ના મોટાભેલા ગામનો બનાવ: કામ બાબતે ઠપકો આપતા પિતાની દીકરાએ કરી નાખી હત્યા વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામની સીમમાંથી દેશી બનાવટના કટ્ટા સાથે એક પકડાયો


SHARE











મોરબીના મોડપર ગામની સીમમાંથી દેશી બનાવટના કટ્ટા સાથે એક પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલી બાતમીને આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી.તે દરમિયાનમાં મોરબીના મોડપર ગામની સીમમાં મહાદેવ મંદિર પાસે માળિયા-જામનગર હાઇવે ઉપરથી નીકળેલ એક ઇસમને અટકાવીને તેની અંગ જડતી લેવામાં આવતા તેની પાસેથી હાથ બનાવટનો દેશી કટ્ટો (તમંચો) હથિયાર મળી આવ્યુ હતુ.જેથી હાલ આર્મસ એકટ મુજબ તેની ધરપકડ કરી તેણે આ હથિયાર ક્યાંથી મેળવ્યુ ? તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પીઆઇ એસ.કે.ચારેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાનમાં સ્ટાફના ભગીરથભાઈ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાને મળેલ બાતમીને આધારે તેઓએ ઉપરી અધિકારીને જાણ કરી મોડપર ગામની સીમમાં મહાદેવ મંદિર પાસે જામનગર-માળીયા હાઈવેની ગોળાઈ પાસેથી પસાર થતા શંકાસ્પદ ઇસમને અટકાવ્યો હતો અને તેની અંગ જડતી લેવામાં આવતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક કટ્ટો હથિયાર (તમંચો) મળી આવ્યું હતું.જેથી આર્મસ એકટ મુજબ હાલમાં સ્થળ ઉપરથી યુનિસભાઇ જુસબભાઇ સુમરા (ઉમર ૪૯) ધંધો મજૂરીકામ રહે.સુમરા સોસાયટી રોહીદાસપુરા પાછળ નવલખી રોડ મોરબી ની રૂપિયા ૨૦૦૦ ની કિંમતના દેશી હાથ બનાવટના તમંચા જેવા હથીયારની સાથે ધરપકડ કરવામાં આવી હતી.આ કામગીરી સ્ટાફના એ.પી.જાડેજા, મહાવીરસિંહ પરમાર, ચંદ્રસિંહ પઢિયાર, દેવશીભાઈ મોરી, કેતનભાઇ અજાણા, રમેશભાઈ મુંધવા, કુલદીપભાઈ કાનગડ, વિજયભાઈ ડાંગર, અરવિંદભાઈ મકવાણા, શક્તિસિંહ જાડેજા, અજયભાઈ લાવડીયા, સિદ્ધરાજભાઈ લોખિલ, અરવિંદભાઈ મકવાણા, અર્જુનસિંહ પરમાર, હસમુખભાઈ વોરા તથા રામદેવસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

જામનગર જિલ્લાની લાલપુર ચોકડી પાસે થયેલ મારામારીના બનાવમાં પ્રકાશ વિનોદભાઈ દેલવાણીયા નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અજીતભાઈ નાથાભાઈ બાવડીયા નામનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તે રીતે જ રાજકોટ વિસામણ ચોકડી પાસે આવેલ શિવ મંદિર પાસે રહેતા નિર્મળાબેન દિનેશભાઈ બુસા (ઉમર ૫૦) નામના મહિલા ત્યાં બાઇકમાંથી પડી ગયા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા






Latest News