આયુષ્માન ભારત-PMJAY યોજના આશીર્વાદ સમાન: મોરબીની ખાનગી હોસ્પિટલમાં વીરપરના મહિલાની તદ્દન મફત ડિલિવરી વાંકાનેરમાં લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું અફસોસ: મોરબીની મચ્છુ કેનાલની સફાઈ કર્યા વગર જ સિંચાઇ માટેનું પાણી છોડી દેવાયું !, ખેડૂતોને પાણી માટે વલખા મોરબી: ઘર ભૂલી ગયેલા શ્રમિક પરિવારના વયોવૃદ્ધ માજીનું અભયમ અને ૧૧૨ ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને 30થી 35 ટકાના વ્યાજે લીધેલ રૂપિયાની સામે અનેક ગણી રકમ ચૂકવી દીધી છતાં પઠાણી ઉઘરાણી ચાલુ, 3 સામે ફરિયાદી વાંકાનેરના જાલીડા ગામ નજીક ડબલ સવારી બાઇકને ઇકોના ચાલકે હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા થતાં સારવારમાં મોરબીમાં જુના મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા વડે હુમલો: બાઈકમાં તોડફોડ કરી: હળવદ નજીક ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત મોરબીમાં આઈપીએલની મેચ ઉપર સટો રમતા એક પકડાયો બેની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 અને માળીયામાં જુગાર રમતા 2 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી ૧૨ એપ્રિલના રોજ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE











મોરબીમાં આગામી ૧૨ એપ્રિલના રોજ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

આગામી ૧૨ એપ્રિલ શનિવારના રોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા તા.૧૨ એપ્રિલ શનિવારના રોજ સવારે ૮ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબીથી પ્રસ્થાન કરશે.જે મોરબી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, ૮ એ નેશનલ હાઇવે થઈને સૌઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણાહુતિ કરશે.જ્યાં બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે.શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ સાબરીયા તેમજ ઉપપ્રમુખ ચંદુભાઈ બાબરીયા દ્વારા મોરબી જિલ્લામાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.






Latest News