મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહાનાટક જાણતારાજાના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ


SHARE











મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહાનાટક જાણતારાજાના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ

મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા નિર્મિત ભારત માતા ક્રાંતિ મંદિર લાભાર્થે મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી ના ૨૦૧ મી જન્મજયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત પર આધારિત છે મહાનાટક જાણતારાજા” નું આયોજન બીજી વખત મોરબીમાં કરવામાં આવ્યું છે.

આ મહાનાટકના લેખક અને દિગ્દર્શન શિવબાબા પુરંદરેજીએ કરેલ છે. અને જાણતા રાજા મહાનાટકની રજૂઆત કરતી સંસ્થાને મળતી રકમમાંથી શિવસૃષ્ટિ નામનું બહુ મોટુ છત્રપતિ શિવાજી મહારાજનું મ્યુઝિયમ પૂનામાં બનાવી રહી છે. એવી જ રીતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર બનાવવા જઈ રહ્યું છે જેની જમીન લેવાઈ ગઈ છે નકશા ડિઝાઇનનું કામ શરૂ થઈ ગયું છે આ મહાનાટક પૂરું થાય તરત જ તેનું કાર્ય પુરજોશ શરૂ કરવામાં આવશે. જે પૂરા વિશ્વ કાઈ કઈક અલગ જ હશે.જે વિશ્વભરના રાષ્ટ્રસભક્તો માટે તીર્થ સમાન હશે.

જેમાં મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી યજ્ઞશાળા,આર્ય ગૌશાળા,પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને સંશોધન કેન્દ્ર, આર્ય કન્યા-કુમાર ગુરુકુળ, અમર જવાન ,સ્મારક,પ્રાકૃતિક અને આયુર્વેદ ચિકિત્સાલય ,સૃષ્ટિ આરંભ થી વર્તમાન સમય સુધી નું અદભૂત પ્રદર્શની બનાવવામાં આવશે તેમજ મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજી અને છત્રપતિ શિવાજી મહારાજના જીવનપર આધારિત ભવ્યાતિ ભવ્ય આધુનિક ટેકનોલોજી થી ભરપૂર પ્રદર્શની બનાવવામાં આવશે. એટલે કે આ કાર્યક્રમમાં જે પણ આવક થશે તે રાષ્ટ્રઉત્થાન માટે વપરાશે. આ નાટકમાં કુલ ૨૫૦ કલાકારો કાફ્લો હોય છે. ૩૦૦૦ ફૂટના ભવ્ય રંગમંચ પરથી રજૂઆત કરશે ત્યારે હાથી, ઘોડા, ઊંટ અને બળદગાડાના જીવંત પ્રયોગો થાય છે, ત્યારે ઉલેખનીય છે કે, પહેલી વખત આ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ૩૨ હજાર રાષ્ટ્રભક્તોનાટક જોયું હતું.

આ કાર્યક્રમની જાહેરાત માટે ક્રાંતિરથ ફરશે, ૨૦૦ થી વધારે હોર્ડિંગ લાગશે, ,૫૦,૦૦૦ પેમ્પલેટ આપવામાં આવશે. તે ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જાહેરાત કરાશે. આ મહાનાટક ખર્ચ ખૂબ મોટો હોવાથી તેને પહોચી વળવા શુભેચ્છા દાન મુજબ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં ૨૦૦ થી લઈને ૫૦૦૦ સુધીની ટિકિટ રાખેલ છે. મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા જે ભારત માતા ક્રાંતિ મંદિર બનવા જઈ રહ્યું છે તેના માટે સંસ્થા દ્વારા મારા પરિવારની એક ઇંટ ભારત માતા ક્રાંતિ મંદિર માટે યોજના શરૂ કરવામાં આવેલ છે. અને એક ઈંટનું દાન ૨૫૦૦ રૂપિયા રાખવામા આવેલ છે.




Latest News