જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સામાજિક સમરસતા મંચ-મિશન નવ ભારતની ટીમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની કરી ઉજવણી


SHARE













મોરબી જિલ્લામાં સામાજિક સમરસતા મંચ-મિશન નવ ભારતની ટીમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની કરી ઉજવણી

સિમ્બોલ ઓફ નોલેજ, ગરીબોના મસીહા, બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.ભીમરાવ  આંબેડકર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે દર વર્ષે મોરબીમાં રેલીનું આયોજન થતું હોય છે. જેના અનુસંધાને સામાજિક સમરસતા મંચ મોરબી જિલ્લા દ્વારા સરબત વિતરણના સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સ્ટોલ રાખવામા આવેલ હતો અને રેલીમાં જોડાયેલ તમામ લોકોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો મિશન નવ ભારત મોરબી જિલ્લા ટીમ દ્વારા ડૉ .બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને ડૉ. બાબાસાહેબે પોતાનું સમગ્ર જીવન વંચિત વર્ગોના કલ્યાણ માટે ખપાવ્યું છે અને શિક્ષણ, સમાનતા અને ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતો પર તેમણે સામાજિક નવચેતનાનો સંચાર કર્યો હતો. અને દુનિયાની સૌથી મોટી લોકશાહીના દૂરંદેશી બંધારણની રચનાથી તેમણે દેશના વિકાસનો પાયો નાંખ્યો હતો.  સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલ યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત બની રહેશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News