મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સામાજિક સમરસતા મંચ-મિશન નવ ભારતની ટીમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની કરી ઉજવણી


SHARE











મોરબી જિલ્લામાં સામાજિક સમરસતા મંચ-મિશન નવ ભારતની ટીમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની કરી ઉજવણી

સિમ્બોલ ઓફ નોલેજ, ગરીબોના મસીહા, બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.ભીમરાવ  આંબેડકર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે દર વર્ષે મોરબીમાં રેલીનું આયોજન થતું હોય છે. જેના અનુસંધાને સામાજિક સમરસતા મંચ મોરબી જિલ્લા દ્વારા સરબત વિતરણના સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સ્ટોલ રાખવામા આવેલ હતો અને રેલીમાં જોડાયેલ તમામ લોકોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો મિશન નવ ભારત મોરબી જિલ્લા ટીમ દ્વારા ડૉ .બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને ડૉ. બાબાસાહેબે પોતાનું સમગ્ર જીવન વંચિત વર્ગોના કલ્યાણ માટે ખપાવ્યું છે અને શિક્ષણ, સમાનતા અને ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતો પર તેમણે સામાજિક નવચેતનાનો સંચાર કર્યો હતો. અને દુનિયાની સૌથી મોટી લોકશાહીના દૂરંદેશી બંધારણની રચનાથી તેમણે દેશના વિકાસનો પાયો નાંખ્યો હતો.  સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલ યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત બની રહેશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News