મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુમાં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આઈસીડીએસના દલડી સેજા હેઠળના ગાગીયાવદર ગામે શિવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે મોરબી ઘટક-૨ ના ખાખરાળા સેજાના જવાહર હનુમાનજી મંદિર (ભડિયાદ કાંટે)- નજરબાગ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું અને જેમાં ગર્ભ સંસ્કાર વિધીમાં ૭ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્રના ભાવનાબેન કડીવાર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા ફાયદા,સગર્ભામાતા,બાળક અને પરીવાર ને થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે ઘટક-૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા અંજલીબેન વિરડા, આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને દાતાઓ દ્વારા સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ (સુખડી મગ અને કિવી) વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News