મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલ્યો, ચાર દિવસમાં 140 એમસીએફટી નદીમાં છોડશે


SHARE













મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલ્યો, ચાર દિવસમાં 140 એમસીએફટી નદીમાં છોડશે

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં દરવાજા બદલાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને તેમાંથી ફરી પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને મચ્છુ-3 ડેમ હાલમાં આખો ભરેલ છે જેથી તેને ખાલી કરવા માટે આજે સવારે આઠ વાગ્યે એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને 940 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

મોરબીના મચ્છુ-3 ડેમના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી અગાઉ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં આ ડેમાં આખો ભરેલ છે અને આગામી દિવસોમાં હજુ પણ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને પાણી છોડવામાં આવે ત્યારે આગળના વિસ્તારમાં કોઈને નુકશાન ન થાય તે માટે હાલમાં ડેમને ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આજે સવારે આઠ વાગ્યેથી એક દરવાજાને એક ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

વધુમાં અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ હાલમાં 940 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આગામી ચાર દિવસમાં અંદાજે 140 એમસીએફટી જેટલું પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી કરીને મોરબી અને માળીયા તાલુકાનાં કુલ મળીને 21 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, મોરબી નજીક જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -2 ડેમના 38 પૈકીનાં પાંચ દરવાજા વર્ષ 2024 માં બદલાવવા આવ્યા હતા અને આ વર્ષે બાકી રહેલા 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને અગાઉ જે રીતે મચ્છુ-2 ડેમના દરવાજા ખોલીને પાણી નદી છોડવામાં આવ્યું હતું તેવી જ રીતે આગામી દિવસોમાં પણ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવશે જેથી કરીને મચ્છુ-3 ડેમને અત્યારથી જ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.




Latest News