મોરબીમાં અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન મોરબીના તળાવીયા સનાળા-વાંકડા ગામ વચ્ચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી વાંકાનેર બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે ત્રણ દિવસીય સમર કેમ્પનું આયોજન
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલ્યો, ચાર દિવસમાં 140 એમસીએફટી નદીમાં છોડશે


SHARE



















મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલ્યો, ચાર દિવસમાં 140 એમસીએફટી નદીમાં છોડશે

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં દરવાજા બદલાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને તેમાંથી ફરી પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને મચ્છુ-3 ડેમ હાલમાં આખો ભરેલ છે જેથી તેને ખાલી કરવા માટે આજે સવારે આઠ વાગ્યે એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને 940 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

મોરબીના મચ્છુ-3 ડેમના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી અગાઉ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં આ ડેમાં આખો ભરેલ છે અને આગામી દિવસોમાં હજુ પણ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને પાણી છોડવામાં આવે ત્યારે આગળના વિસ્તારમાં કોઈને નુકશાન ન થાય તે માટે હાલમાં ડેમને ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આજે સવારે આઠ વાગ્યેથી એક દરવાજાને એક ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

વધુમાં અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ હાલમાં 940 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આગામી ચાર દિવસમાં અંદાજે 140 એમસીએફટી જેટલું પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી કરીને મોરબી અને માળીયા તાલુકાનાં કુલ મળીને 21 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, મોરબી નજીક જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -2 ડેમના 38 પૈકીનાં પાંચ દરવાજા વર્ષ 2024 માં બદલાવવા આવ્યા હતા અને આ વર્ષે બાકી રહેલા 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને અગાઉ જે રીતે મચ્છુ-2 ડેમના દરવાજા ખોલીને પાણી નદી છોડવામાં આવ્યું હતું તેવી જ રીતે આગામી દિવસોમાં પણ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવશે જેથી કરીને મચ્છુ-3 ડેમને અત્યારથી જ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.






Latest News