ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક ડેમુ ટ્રેનની હડફેટે ચડી ગયેલ બાળક રાજકોટ સારવારમાં


SHARE













મોરબી નજીક ડેમુ ટ્રેનની હડફેટે ચડી ગયેલ બાળક રાજકોટ સારવારમાં

મોરબીમાં નજરબાગ રેલવે ફાટક પાસેથી ડેમુ ટ્રેન પસાર થઈ હતી ત્યારે તેની હડફેટે બાળક ચડી ગયો હતો જેથી તે બાળકને ઇજાઓ થવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ચામુંડાનગરમાં રહેતા વિનોદભાઈ પરમારનો 14 વર્ષનો દીકરો મીત ગત તા. 19 ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં નજરબાગ રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડેમુ ટ્રેનની હડફેટે તે ચડી જતા તેને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા બાળકને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ અકસ્માતના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ મ પાસે છોટા હાથી અને ડમ્પર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં વિશ્વાબેન મુન્નાભાઈ (27) અને મુન્નાભાઈ શંકરભાઈ (29) બે વ્યક્તિઓને ઈજા થઈ હતી આવી જ રીતે જયપાલભાઈ પ્રગજીભાઇ વેકરીયા (20) રહે, ભીમકટ્ટા વાળાને પણ ઇજાઓ થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News