મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક 220 કેવી સબ સ્ટેશનમાંથી કેપેસીટર બેન્કના એક રિયક્ટરની ચોરી


SHARE











વાંકાનેર નજીક 220 કેવી સબ સ્ટેશનમાંથી કેપેસીટર બેન્કના એક રિક્ટરની ચોરી

વાંકાનેરના ધમલપર ગામ પાસે આવેલ 220 કેવી સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કેપેસીટર બેન્કના એક રિક્ટરની ચોરી કરવામાં આવેલ છે અને તેનો વજન 300 કિલો તેમજ કિંમત 50,000 રૂપિયા થાય છે જેથી કરીને હાલમાં વીજ કંપનીના સ્ટાફ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ પુષ્કરધામ એવન્યુ-2 નાગબાઈ મંદિર પાસે રહેતા નિકુંજભાઈ ભવનભાઈ રામાણી (36)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ધમલપર ગામ પાસે 220 કેવી વાંકાનેર સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેપેસીટર બેંકના એક રિક્ટરની ચોરી કરવામાં આવેલ છે જેનું વજન 300 કિલો અને કિંમત 50,000 રૂપિયા થાય છે જેથી હાલમાં વીજ કંપનીના સ્ટાફે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના નવલખી રોડ સર્વોદય સોસાયટી વિસ્તારમાં રહેતા રવિદાન મારૂભાઈ ગઢવી નામના ૫૦ વર્ષના આધેડ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હોય સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી સામાકાંઠે ઇન્દિરાનગરમાં રહેતા વિનોદભાઈ મેર નામના ૩૫ વર્ષના યુવાનને અર્ધબેભાન હાલતમાં ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી તાલુકાના અમરાપર નદી ગામે રહેતા ભાવનાબેન ભરતભાઈ નામના ૩૧ વર્ષીય મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.તેઓ બાઈકમાં બેસીને અમરાપર ગામે હનુમાન મંદિર પાસેથી જતા હતા ત્યાં બાઈક સ્લીપ થવાના બનેલા બનાવમાં તેમને ઇજા થઈ હોય સારવારમાં લઈ જવાયા હતા.






Latest News