મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 21 અબોલજીવને બચાવ્યા


SHARE











માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 21 અબોલજીવને બચાવ્યા

માળીયા નજીક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી જે બંને ગાડીમાંથી કુલ મળીને 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા તેને બચાવી લેવામાં આવેલ છે અને કુલ મળીને ચાર શખ્સો સહિતનો મુદામાલ પોલીસને સોંપીને ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,  અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત રાજ્યના હોદેદારોને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી જુદીજુદી બે બોલેરો ગાડીમાં અબોલજીવને ભરીને કતલખાને લઈ જઈ રહ્યા છે અને માળીયા  થઈને પીપળીયા ચાર રસ્તા બાજુ તે વાહનો જવાના છે જેથી કરીને માળીયા નજીક ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી તેવામાં કચ્છ બાજુથી ગાડી નંબર જીજે 12 બીઝેડ 4224 અને બીજી ગાડી નંબર જીજે 12 બીવાય 6313 નીકળી રહી હતી તે બંને ગાડીનો પૂછો કરીને માળીયા નજીક ચાર રસ્તા પાસે ગાડીઓને રોકી હતી અને તેને ચેક કરી હતી ત્યારે એક ગાડીમાંથી ભેંસના 17 પાડા અને બીજી ગાડીમાંથી 4 આમ કુલ મળીને 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા અને અબોલજીવોને વાહનોમાં કચ્છના નખત્રાણા બાજુથી ભરેલા હતા આ તમામ જીવોને હાલમાં માળીયા તાલુકાનાં ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળમાં  મૂકવામાં આવેલ છે. હાલમાં બંને ગાડીના ડ્રાઈવર સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ગૌરક્ષક દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉલેખનીય છેકે,અબોલજીવોને કતલખાને જતાં અટકાવવા માટે ગૌરક્ષકો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં માળીયા તાલુકાનાં પીઆઇ તેમજ સ્ટાફ દ્વારા સારો સહયોગ મળી રહ્યો છે તેવું કમલેશભાઈ બોરિચાએ જણાવ્યુ હતું અને આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ મોરબી, રાજકોટ, વિરમગામ, કચ્છ, લીમડી અને ચોટીલાના ગૌરક્ષકભાઈઓનો સહકાર મળ્યો હતો.






Latest News