મોરબીના લાલપર ગામની યુવતીનું છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ, ચાર સામે ફરિયાદ નોંધાતા, એકની ધરપકડ-જેલ હવાલે
SHARE
મોરબીના લાલપર ગામની યુવતીનું છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ, ચાર સામે ફરિયાદ નોંધાતા, એકની ધરપકડ-જેલ હવાલે
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતા પરિવારની યુવતીનું છરીની અણીએ અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.લગ્ન માટે અપહરણ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવેલ તે સંદર્ભે ભોગ બનેલ પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો હતો.જે પૈકીના મુખ્ય આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકીના ત્રણની શોધખોળ ચાલુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાલપર ગામે રહેતા પરિવારની યુવતીનું લગ્ન બાબતે છરીની અણીએ અપહરણ કરી જવામાં આવ્યું હતું.બળજબરીપૂર્વક અપહરણ કરીને યુવતીની સીથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા ડીવીયએસપી કચેરી તેમજ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના પીઆઈ એસ.કે.ચારેલની સૂચનાથી ગુનો નોંધવામાં આવ્યો હતો.જેમાં હસમુખ ઉર્ફે હર્ષદ મુકેશભાઇ ધોળકિયા, બિંદુબેન મુકેશભાઇ ધોળકિયા, રતન વીરજીભાઈ ધોળકિયા અને હરજીવન સુરેશભાઈ ધોળકિયા રહે.ચાર્ય શનાળા તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં ગણતરીના દિવસોમાં તપાસ અધિકારી પીએસઆઇ બી.એમ.બગડા તથા સ્ટાફ દ્વારા મુખ્ય આરોપી હસમુખ ઉર્ફે હર્ષદ મુકેશભાઈ ધોળકિયા (ઉમર ૧૯) રહે.શનાળાની તા.૭-૫ ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેના એક દિવસના રીમાંડ મંજુર કરવામાં આવ્યા હતા.રીમાંડ પુરા થતા કોર્ટે હસમુખ ધોળકીયાને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકીના ત્રણને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઝેરી દવા પી જતા સારવારમાં મોત
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના હીરાણા ગામે રહેતા બાબુભાઈ મગનભાઈ રંગપરા નામનો ૩૬ વર્ષનો યુવાન ગત તા.૪-૫ ના રાત્રીના એકાદ વાગ્યે કોઈ કારણસર ઝેરી દવા પી ગયો હતો અને તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં તેનું ગત તારીખ 6 5 ના 9:00 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોતની હતુ બનાવની એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એસ કે બાલાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા મૃતકના સગા વહાલા પાસેથી મળતી માહિતી પ્રમાણે કોઈ ટેન્શનના પગલે તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને જેમાં તેઓનું મોતની જેમ છે બનાવની આગળની તપાસ માટે સ્થાન પોલીસને જાણ કરવામાં આવી હતી









