મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ
તાજેતરમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરીને આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવેલ છે ત્યારે સેનાની કામગીરીને બિરદાવવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડથી નગર દરવાજા સુધી તિરંગા યાત્રા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા આ તકે જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મોરબીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હોદેદારો અને કાર્યકરો યાત્રા જોડાયા હતા અને અને આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિમાં સેનાના જવાનોની સાથે આમ આદમી પાર્ટી અને દેશના યુવાનો ખડેપગે રહેશે. તેવું આમ આદમી પાર્ટીના આગેવાનોને કહ્યું હતું.