માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી વાંકાનેરમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માત બંને ઇજાગ્રસ્તનો સારવારમાં મોરબીમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિ પકડાયા હળવદના જુના દેવળીયા ગામે ઝૂંપડામાંથી દારૂની નાની મોટી 985 બોટલ દારૂ સાથે એક પકડાયો, દારૂ આપનારની શોધખોળ મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં પી.એમ. પોષણ કેન્દ્રમાં જુદીજુદી ૨૭ જગ્યા ઉપર સ્ટાફની ભરતી કરાશે


SHARE











મોરબી તાલુકામાં પી.એમ. પોષણ કેન્દ્રમાં જુદીજુદી ૨૭ જગ્યા ઉપર સ્ટાફની ભરતી કરાશે

મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રમાં ૧૧ વ્યવસ્થાપક(સંચાલક), ૮ રસોઈયા તથા ૮ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી સંપૂર્ણ વિગતો સાથે મધ્યાહન ભોજન શાખા, મોરબી મામલતદારની કચેરીએ તા ૨૬/૫ સુધીમાં પહોંચે તે રીતે રજૂ કરવાનું રહેશે. આ અરજી અન્વયે જે ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે મોરબી મામલતદાર કચેરીએ સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.

વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, મશાલવાડી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જેપુર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, વિરપરડા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, માનસર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, નારણકા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કોયલી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કૃષ્ણનગર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જીવાપર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, પીલુડી પ્રાથમિક શાળા ૧ સંચાલક, ગીડચ પ્રાથમિક શાળા ૧ સંચાલક, ઊંટબેટ શામપર પ્રાથમિક શાળા ૧ સંચાલક, મળી ૨૭ કર્મચારીઓની તદ્દન હંગામી ધોરણે ભરતી કરવામાં આવનાર છે. મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. રસોઈયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી નથી. આ તમામ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉંમર અરજી મોકલવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.






Latest News