મોરબીના ડીડીઓએ બાંધકામ મંજુરીને લગતા જે પરિપત્રો કર્યા તે રદ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત
મોરબીના કિશનગઢ (સોખડા) ગામે બાલાસરા પરિવાર દ્વારા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
SHARE
મોરબીના કિશનગઢ (સોખડા) ગામે બાલાસરા પરિવાર દ્વારા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
મોરબીના કિશનગઢ (સોખડા) ગામે આવેલ બાલાસરા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજી તથા શ્રી રાંદલ માતાજીના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 21 થી 23 સુધી આ ધાર્મિક પ્રસંગ યોજાશે.
આ ધાર્મિક પ્રસંગમાં સંતો મહંતો તેમજ રાજકીય અને સમાજિક આગેવાનો સહિતના આવવાના છે અને વધુમાં આયોજકો પાસેથી મળેલ માહિતી મુજબ તા. 21 ના રોજ દેહશુદ્ધિ, ગણપતિ આરાધન, સ્થાપિત દેવોનું પૂજન અને યજ્ઞ શરૂ કરાશે, તા 22 ના રોજ જલયાત્રા, માતાજીના સામૈયા, નવચંડી યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ, તીર્થ જલથી અમૃતાભિષેક, શોભાયાત્રા અને તા. 22 ના રોજ રાત્રે 9:00 કલાકે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો જમાવટ કરશે. જો કે, તા. 23 ના રોજ પ્રાણપ્રતિષ્ઠા, ઈંડું ચડાવવાની વિધિ, ધ્વજારોહણ અને યજ્ઞ પુર્ણાહુતી કરાશે ત્યાર બાદ સાંજે મહાપ્રસાદ યોજાશે યોજાશે. જેથી સમસ્ત બાલાસરા પરિવારને ધાર્મિક મહોત્સવમાં આવવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.









