ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના કિશનગઢ (સોખડા) ગામે બાલાસરા પરિવાર દ્વારા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE













મોરબીના કિશનગઢ (સોખડા) ગામે બાલાસરા પરિવાર દ્વારા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબીના કિશનગઢ (સોખડા) ગામે આવેલ બાલાસરા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજી તથા શ્રી રાંદલ માતાજીના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 21 થી 23 સુધી આ ધાર્મિક પ્રસંગ યોજાશે.

આ ધાર્મિક પ્રસંગમાં સંતો મહંતો તેમજ રાજકીય અને સમાજિક આગેવાનો સહિતના આવવાના છે અને વધુમાં આયોજકો પાસેથી મળેલ માહિતી મુજબ તા. 21 ના રોજ દેહશુદ્ધિ, ગણપતિ આરાધન, સ્થાપિત દેવોનું પૂજન અને યજ્ઞ શરૂ કરાશે, તા 22 ના રોજ જલયાત્રા, માતાજીના સામૈયા, નવચંડી યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ, તીર્થ જલથી અમૃતાભિષેક, શોભાયાત્રા અને તા. 22 ના રોજ રાત્રે 9:00 કલાકે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો જમાવટ કરશે. જો કે, તા. 23 ના રોજ પ્રાણપ્રતિષ્ઠા, ઈંડું ચડાવવાની વિધિ, ધ્વજારોહણ અને યજ્ઞ પુર્ણાહુતી કરાશે ત્યાર બાદ સાંજે મહાપ્રસાદ યોજાશે યોજાશે. જેથી સમસ્ત બાલાસરા પરિવારને ધાર્મિક મહોત્સવમાં આવવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News