મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કિશનગઢ (સોખડા) ગામે બાલાસરા પરિવાર દ્વારા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE











મોરબીના કિશનગઢ (સોખડા) ગામે બાલાસરા પરિવાર દ્વારા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબીના કિશનગઢ (સોખડા) ગામે આવેલ બાલાસરા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજી તથા શ્રી રાંદલ માતાજીના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 21 થી 23 સુધી આ ધાર્મિક પ્રસંગ યોજાશે.

આ ધાર્મિક પ્રસંગમાં સંતો મહંતો તેમજ રાજકીય અને સમાજિક આગેવાનો સહિતના આવવાના છે અને વધુમાં આયોજકો પાસેથી મળેલ માહિતી મુજબ તા. 21 ના રોજ દેહશુદ્ધિ, ગણપતિ આરાધન, સ્થાપિત દેવોનું પૂજન અને યજ્ઞ શરૂ કરાશે, તા 22 ના રોજ જલયાત્રા, માતાજીના સામૈયા, નવચંડી યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ, તીર્થ જલથી અમૃતાભિષેક, શોભાયાત્રા અને તા. 22 ના રોજ રાત્રે 9:00 કલાકે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો જમાવટ કરશે. જો કે, તા. 23 ના રોજ પ્રાણપ્રતિષ્ઠા, ઈંડું ચડાવવાની વિધિ, ધ્વજારોહણ અને યજ્ઞ પુર્ણાહુતી કરાશે ત્યાર બાદ સાંજે મહાપ્રસાદ યોજાશે યોજાશે. જેથી સમસ્ત બાલાસરા પરિવારને ધાર્મિક મહોત્સવમાં આવવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News