મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-જીલ્લા સેવાસદન પાસે પડેલા સ્ક્રેપ વાહનોની હરરાજી કરીને નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત


SHARE













મોરબી તાલુકા-જીલ્લા સેવાસદન પાસે પડેલા સ્ક્રેપ વાહનોની હરરાજી કરીને નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકા તથા જીલ્લા સેવાસદનમાં સ્ક્રેપ વાહનો છેલ્લા ઘણા સમયથી પડેલ છે જો કે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી જેથી મોરબીના જાગૃત નાગરિક દ્વારા આ બાબતે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને જે સરકારી વાહનો હાલમાં ભંગાર હાલતમાં પડ્યા છે તેની હરરાજી કરીને નિકાલ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર પી.પી. જોષીકલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકા સેવાસદન લાલબાગ ખાતે આશરે આઠ જેટલી જીપ તથા અન્ય વાહનો ભંગાર હાલતમાં પડ્યા છે અને સડી રહ્યા છે અને આ ભંગાર વાહનો ત્યાં પડ્યા હોવાથી તાલુકા તથા જીલ્લામાંથી સેવાસદનમાં આવતા અરજદારોને પોતાના વાહન પાર્ક કરવામાં ઘણી જ તકલીફ પડે છે. માટે તે વાહનોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તે અનિવાર્ય છે અને જે વાહનો સારી કંડીશનમાં છે. તેને ચાલુ કરીને અન્ય ડીપાર્ટમેનને આપી દેવામાં આવે તો સરકારના કરોડો રૂપિયા બચે તેમ છે અને જો વાહન બીજા કોઈ વિભાગને આપવા ન હોય તો વાહનોની નિયમનુસાર હરરાજી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ન માત્ર મોરબી તાલુકા પરંતુ આખા જીલ્લામાં ભંગાર હાલતમાં સડી રહેલા સરકારી વાહનોની યાદી બનાવીને તેનો નિકાલ હરરાજી કરીને કરવામાં આવે તો જ્ગ્યા ચોખી થશે સાથોસાથ સરકારને આવક પણ થશે.






Latest News