મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન


SHARE











માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

માળિયા મિયાણાં તાલુકાના મોટા દહીંસરા ગામે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા મોમાઈ ધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને તેનો રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ જાડેજા પરિવારના લોકો અને સમસ્ત ગ્રામજનો સહિતના લોકોએ લાભ લીધેલ હતો. અત્રે ઉલેખનીય છે કે, મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન પદે જયદીપ એન્ડ કંપનીના સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવારના જયુભા જાડેજા અને દિલુભા જાડેજા બિરાજ્યા હતા આ કાર્યક્રમમાં કબરાઉં ધામના મહંત ચારણઋષિ સહિતના સંતો-મહંતો તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમાર, બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો, હોદેદારો વિગેરે આવ્યા હતા અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધેલ હતો.






Latest News