મોરબીમાં ફટાકડાના વેપારીઓના પાંચ વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરવા ધારાસભ્યને કરી રજૂઆત
મોરબીના વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ નવો બનાવવા માંગ
SHARE
મોરબીના વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ નવો બનાવવા માંગ
મોરબીના પત્રકાર યોગેશભાઈ રંગપડીયાએ મોરબી મહાનગર પાલીકાના કમિશ્નર સ્વપનીલ ખરેને લેખીત રજૂઆત કરી જણાવેલ છેકે, વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી ચોમાસાને ધ્યાનમાં રાખીને લોકોના હીતમાં આ રોડનું કામ વહેલી તકે કરાવવામાં આવે અને જયાં સુધી નવો રોડ ન બને ત્યાં સુધી આ રોડનું ખુબ ઝડપથી હાલ પુરતું રીપેરીંગ કરવામાં આવે તે જરૂરી છે.
કારણ કે લીલાપર કેનાલ રોડ ઉપર સવારે અને સાંજના સમયે ટ્રાફીક વધુ રહેતું હોવાથી આ વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડનો ઉપયોગ સીરામીક ફેકટરીએ જતા લોકો તેમજ પટેલનગર, આલાપપાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક સહીતની સોસાયટીઓના રહીશો કરતા હોય છે.તેથી જો આ રોડ બની જશે તો ત્યાં ટ્રાફીક રૂપાંતરીત થઈ શકે અને પરીણામે લીલાપર કેનાલ રોડ ઉપરનો ટ્રાફીક પ્રશ્ન પણ હળવો કરી શકાશે.જેથી આ રોડ તાત્કાલીક બને તેવી માંગ કરવામાં આવેલ છે.