મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી-મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE













ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી-મારામારી: હવે સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી અને મારા મારી થયેલ હતી જેથી બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક ઇન્દ્રપ્રસ્થ-2 શેરી નં-4 ખાતે રહેતા કિર્તીભાઈ ટપુભાઈ સંઘાણી (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ ખીમજીભાઇ સંઘાણી, રજનીકાંત ખીમજીભાઇ સંઘાણી અને કલ્પેશભાઈ ખીમજીભાઇ સંઘાણી રહે, બધા હરટીયાળી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેઓના કૌટુંબિક ભાઈ ખુશાલભાઈની પાણીની પાઇપ લાઇનને પંકજભાઈ તથા રજનીકાંતભાઈ ખોદકામ કરીને કાપતા હતા જેથી ખુશાલભાઈએ તેને પાણીની પાઇપલાઇન કાપવાની ના પાડી હતી જે તેઓને સારું નથી લાગતા તેઓએ ખુશાલભાઈ તથા નૌતમભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદી તેઓને છોડાવવા માટે ગયો હતો અને તેણે પથ્થરનો છૂટો ઘા મારવામાં આવતા તેને ઈજા થઈ હોવાથી ત્રણ ટાંકા આવ્યા હતા અને કલ્પેશભાઈએ ફરિયાદીને લાકડી વડે મારમારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જ્યારે સામા પક્ષેથી મૂળ હરટીયાળીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં મવડી ચોકડી પાસે આદર્શ એવન્યુ સોસાયટી ફ્લેટ નંબર બી-702 માં રહેતા રજનીકાંતભાઈ ખીમજીભાઇ સંઘાણી (45)એ ખુશાલભાઈ જેઠાભાઈ સંઘાણી, નૌતમભાઈ ટપુભાઈ સંઘાણી અને કિર્તીભાઈ ટપુભાઈ સંઘાણી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેપંકજભાઈ પોતાની વાડીએ ગયા હતા અને તેઓની વાડીમાંથી ખુશાલભાઈની પાણીની પાઇપલાઇન નીકળતી હોય જે કાઢવાની હતી પરંતુ કાઢેલ ન હતી માટે ફરિયાદીનો ભાઈ પંકજ ચાલીને બીજી વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં ખુશાલભાઈ અને નૌતમભાઈએ મારામારી કરી હતી તેમજ કીર્તિભાઈએ લાકડી વડે ફરિયાદીને જમણા હાથમાં કોણી પાસે તથા સાહેબ પંકજભાઈને વાંસાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News