મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

 

વાંકાનેર તાલુકાના તીથવા ગામ વડસલ તળાવમાં ન્હાવા માટે ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃત દેહને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મુન્નાભાઈ શેખરસિંગ બામનીયા (40) નામનો યુવાન તીથવા ગામ પાસે આવેલ વડસલ તળાવના પાણીમાં ન્હાવા માટે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર તે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ ઉપર આવીને  પાણીમાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને શોધી કાઢીને પાણીમાંથી બહાર કાઢયો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા
મોરબીમાં આવેલ મચ્છી પીઠ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અસલમ અનવરભાઈ માડકીયા (35) રહે આસવાદ પાન પાસે મહેન્દ્રપરા મોરબી વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે હળવદમાં આવેલ સતનામ કોમ્પ્લેક્સ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રકાશભાઈ મગનભાઈ પરમાર (35) રહે. હળવદ વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

સાપ કરડી જતા સારવારમાં
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇટકોસ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પૂજાબેન અનિલભાઈ માલવે (24) નામની મહિલાને રાત્રિના સમયે સાપ પગે કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યા સારવાર બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ ની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News