મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા મોરબીના રવાપર ગામની રામસેતુ સોસાયટીના લોકોએ સુવિધા માટે કર્યો ચક્કાજામ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝપટે ચડી જવાથી આધેડનું મોત


SHARE

















માળીયા (મી)ના વાધરવા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝપટે ચડી જવાથી આધેડનું મોત

માળીયા (મી)ના વાધરવા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર માનસિક બીમાર આધેડ ટ્રેનની ઝડપે ચડી જતા તેને શરીરને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના દીકરાએ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વિરમગામ તાલુકાના થોરી થાભા ગામમાં આવેલ સેનવા વાસમાં રહેતા ખોડાભાઈ દેવાભાઈ સેનવા (51) નામના આધેડ માળીયા તાલુકાના વાધરવા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયા હતા જેથી તેને શરીરને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મૃતક આધેડના દીકરા રાહુલભાઈ ખોડાભાઈ સેનવા (24)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક આધેડ છેલ્લા બે મહિનાથી માનસિક બીમાર હતા અને બે દિવસ પહેલા તેઓ પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હતા દરમિયાન માળિયાના વાધરવા ગામ પાસે ટ્રેનના પાટા ઉપર ચાલતી વખતે ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ નજીક આવેલ બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની વાંકાનેર તાલુકાના ઠીકરયાળી ગામે રહેતા મનસુખભાઈ પોલાભાઈ બેડવા (52)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News