મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન


SHARE











મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન

મોરબીમાં શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે અને ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી- ભાવેશ્વરી માતાજી, રામધન આશ્રમ,મોરબી) ના વ્યાસાસને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ ખાતે આગામી તા.૧૪-૯-૨૦૨૫ ભાદરવા વદ આઠમ થી ૨૦-૯-૨૦૨૫ ભાદરવા વદ ચૌદસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ્ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વ્યાસાસને ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરીદેવીજી (ગુરુ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) બિરાજમાન થશે. અને કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી ઉપરાંત દરરોજ બપોરે ફરાળ પ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદ યોજાશે. જેથી વહેલા તે પહેલા ના ધોરણે માત્ર ૧૧ પોથી જ નોંધવાની હોય પોથી નોંધાવવા માટે ભાવનાબેન અનિલભાઈ સોમૈયાના મો.૮૫૧૧૦૬૦૦૬૬ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News