મોરબીના બરવાળા નજીક ટ્રક પાછળ રીક્ષા ઘૂસી જતા યુવાનનું મોત મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે ભાવનગર જેલ હવાલે મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વરસાદના અસરગ્રસ્તોને ગરમ ભોજન અપાયું મોરબીમાં જાહેરમાં લઘુશંકા-ગંદકી કરનારાઓ સહિતના દંડાયા મોરબી જીલ્લામાં વધુ એકથી પોણા ત્રણ ઇંચ વરસાદ: મચ્છુ-2 ડેમમાંથી હજુ પણ 11724 કયુસેક પાણીની જાવક: મચ્છુ-3 ડેમના 3 દરવાજાને 5 ફૂટ સુધી ખોલ્યા વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને 1.70 લાખના મુદામાલની ચોરીના ગુનામાં એક આરોપી ધરપકડ, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન


SHARE

















મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન

મોરબીમાં શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે અને ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી- ભાવેશ્વરી માતાજી, રામધન આશ્રમ,મોરબી) ના વ્યાસાસને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ ખાતે આગામી તા.૧૪-૯-૨૦૨૫ ભાદરવા વદ આઠમ થી ૨૦-૯-૨૦૨૫ ભાદરવા વદ ચૌદસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ્ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વ્યાસાસને ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરીદેવીજી (ગુરુ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) બિરાજમાન થશે. અને કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી ઉપરાંત દરરોજ બપોરે ફરાળ પ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદ યોજાશે. જેથી વહેલા તે પહેલા ના ધોરણે માત્ર ૧૧ પોથી જ નોંધવાની હોય પોથી નોંધાવવા માટે ભાવનાબેન અનિલભાઈ સોમૈયાના મો.૮૫૧૧૦૬૦૦૬૬ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News