મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન
મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન
SHARE









મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન
અધ્યયન મંડળ મોરબી દ્વારા તા.૧૯-૬ ને ગુરુવારના દિવસે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરૂવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે.જેઠ વદ ૧૦, તા.૧૯-૬ ના માસિક બૌદ્ધિક વર્ગમાં વિપશયના સાધના અને બૌદ્ધ સંપ્રદાયના વિવિધ પાસાંઓ વિષય ઉપર અધ્યયન મંડળના અધ્યેતા શૈલેષભાઈ કાલરિયા વક્તવ્ય આપશે.દર મહિને વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓને આમંત્રણ આપીને રાષ્ટ્રના આ સંક્રમણ સમયે વૈચારિક યુદ્ધમાં કઈ રીતે બચવું અને કેવી તૈયારી કરવી વગેરે ચર્ચા કરવામાં આવે છે.મોરબીના અધ્યયનશીલ લોકો તથા રસ ધરાવતા લોકોને આ અધ્યયન મંડળમાં જોડાવા માટે અધ્યયન મંડળ મોરબીના સહ સંયોજક વિજયભાઈ રાવલ અને કમલેશભાઈ અંબાસણા તથા સંયોજક ડો.જયેશભાઈ પનારા દ્રારા અપીલ કરવામાં આવેલ છે.

