મોરબીના બરવાળા નજીક ટ્રક પાછળ રીક્ષા ઘૂસી જતા યુવાનનું મોત મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે ભાવનગર જેલ હવાલે મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વરસાદના અસરગ્રસ્તોને ગરમ ભોજન અપાયું મોરબીમાં જાહેરમાં લઘુશંકા-ગંદકી કરનારાઓ સહિતના દંડાયા મોરબી જીલ્લામાં વધુ એકથી પોણા ત્રણ ઇંચ વરસાદ: મચ્છુ-2 ડેમમાંથી હજુ પણ 11724 કયુસેક પાણીની જાવક: મચ્છુ-3 ડેમના 3 દરવાજાને 5 ફૂટ સુધી ખોલ્યા વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને 1.70 લાખના મુદામાલની ચોરીના ગુનામાં એક આરોપી ધરપકડ, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન


SHARE

















મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન

અધ્યયન મંડળ મોરબી દ્વારા તા.૧૯-૬ ને ગુરુવારના દિવસે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરૂવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે.જેઠ વદ ૧૦,  તા.૧૯-૬ ના માસિક બૌદ્ધિક વર્ગમાં વિપશયના સાધના અને બૌદ્ધ સંપ્રદાયના વિવિધ પાસાંઓ વિષય ઉપર અધ્યયન મંડળના અધ્યેતા શૈલેષભાઈ કાલરિયા વક્તવ્ય આપશે.દર મહિને વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓને આમંત્રણ આપીને રાષ્ટ્રના આ સંક્રમણ સમયે વૈચારિક યુદ્ધમાં કઈ રીતે બચવું અને કેવી તૈયારી કરવી વગેરે ચર્ચા કરવામાં આવે છે.મોરબીના અધ્યયનશીલ લોકો તથા રસ ધરાવતા લોકોને આ અધ્યયન મંડળમાં જોડાવા માટે અધ્યયન મંડળ મોરબીના સહ સંયોજક વિજયભાઈ રાવલ અને કમલેશભાઈ અંબાસણા તથા સંયોજક ડો.જયેશભાઈ પનારા દ્રારા અપીલ કરવામાં આવેલ છે.






Latest News