હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા
Breaking news
Morbi Today

મોરબીના જેપુર પાસે કાર અને રીક્ષા અથડાતા બાળક સહિત પાંચને ઈજા


SHARE











મોરબીના જેપુર પાસે કાર અને રીક્ષા અથડાતા બાળક સહિત પાંચને ઈજા

હરીપર અને ઉંચી માંડલ ગામે મારામારીના બનાવ

મોરબીના જેપુરથી ગોર ખીજડીયા ગામ જતા રસ્તે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એક બાળક સહિત પાંચ લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે જેપુર ગામેથી ગોર ખીજડીયા ગામ બાજુ જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં રીક્ષાની સાથે કાર અથડાતા અજયકુમાર શિવપ્રભુરામ રાય (40) રહે. પીપળીયા ચોકડી, રૂપરામ રઘુરામ રાય (45) રહે. ખાખરાળા, વ્રજ નિપરામ (11) રહે. પીપળીયા ચોકડી, રાજકુમાર પ્રેમભાઈ સોની (38) રહે. સનાતન હોટલ પાસે નવલખી હાઈવે અને રાજકુમાર વાઘજીભાઈ માંજી (17) રહે. ખાખરાળાને ઈજાઓ થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી સ્ટાફના ફિરોઝભાઈ સુમરાએ આગળની તપાસ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા
 મોરબીની હરીપર ગામ નજીક આવેલ વેલોઝ સિરામીક પાસે મારામારીમાં ઈજા થતા પ્રકાશ રામુભાઈ મંદુરીયા (50)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે રહેતા જુબેદાબેગમ ઈરશનભાઈ મીર્જા (25)ને ત્યાં મારામારીમાં ઈજા થતા તેમજ ઉંચી માંડલની પાસે આવેલ નેકસન સિરામીકમાં ઉંચાઈએથી નીચે પડી જતા રેસુખાન (23)ને સારવાર માટે ખસેડાયા
હતા.

વૃધ્ધા સારવારમાં
 મોરબી કાલીકાનગર ખાતે રહેતા મંજુલાબેન ગોવિંદભાઈ ડાભી નામના 67 વર્ષના વૃધ્ધા હળવદની સરા ચોકડી પાસે બાઈકમાંથી પડી જતા અહીંની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.જયારે ટંકારાના હડમતીયા ગામે રહેતા ગોદાવરીબેન નાનજીભાઈ કુનપરા (67) નામના વૃધ્ધા ગામમાં આવેલ શંકર મંદિર પાસે બાઈક પાછળથી પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. માળીયા મીંયાણાના ચીખલી ગામે રહેતા રાજેશ મનસુખભાઈ ગણેશીયા (24) ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો.

બે યુવાન સારવારમાં
 મોરબીના હળવદ તાલુકાના પાંડાતિર્થ ગામે રહેતા હાર્દિક પરસોતમભાઈ ડાભી (24) અને રવિ વજુભાઈ ડાભી (26) ગામથી સુંદરગઢ જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા બંનેને સારવારમાં અહીંની આયુષમાં લાવવામાં આવ્યા હતા. જયારે છાત્રાલય રોડ ધર્મવિજય રેસીડેન્સીમાં રહેતા હંસાબેન વેલજીભાઈ કાચરોલા (62) પૌત્ર પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ક્રિષ્ના પેલેસ નજીક પડી જતા ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.






Latest News