ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર નુકશાનકારક હોય હટાવવા માંગ


SHARE







મોરબીના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર નુકશાનકારક હોય હટાવવા માંગ

અગાઉ કરેલ રજૂઆત બાદ કલેકટરે ચિફ ઓફીસરને તપાસ કરી પગલા લેવા જણાવેલ તેની પણ અમલવારી નહીં..!

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી.બાંભણીયા અને અશોક ખરચરીયાએ જીલ્લા કલેકટલને લેખીત રજુઆત કરે છે કે, મોરબીની પારેખ શેરીમાં આવેલ ગૌરાંગ શેરી વાળો ખાંચો કે જયાં પ્રતીમાં એપાર્ટમેન્ટ આવેલ છે તેની ઉપર ત્રણ મોબાઈલ ટાવર નાંખેલ છે જેની મંજુરી લીધેલ છે કે નહી ? અને મંજુરી આપેલ હોય તો મંજુરી કોને આપેલ છે અને કોના દ્વારા અપાયેલ છે..? અને કઈ રીતે આપી દેવાય છે..?  કેમ કે આ ટાવરમાંથી રેડીએશન નિકળે છે તે નાના બાળકો અબાલ-વૃધ્ધો અને ગર્ભવતી મહિલાઓને શરીરના જુદાજુદા અંગોમાં ઘેરી અસર કરે છે અને તેનાથી બહેરાશ તેમજ મુંગાપણુ થઇ જવાના દાખલા જોવા મળે છે.તેમજ આ અંગે અગાઉ કરેલ રજૂઆત બાદ કલેકટે મોરબી નગરપાલીકામાં તા.૧૩-૮-૨૧ ના રોજ ટાવર અંગે મંજુરી તેમજ સ્થળની તપાસ કરી નિયમાનુસારની કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો હતો પરંતુ મોરબી નગરપાલીકાના કર્મચારીઓ કલેકટરના હુંકમને પણ ઘોળીને પી જતા હોય તેમ લાગી રહ્યુ છે. કોઇને કામ કરવામાં રસ નથી પબ્લીક અવારનવાર કચેરીઓમાં ધકકા ખાય છે તો કહે છે કે તમારી પ્રોસીજર ચાલુ છે હમણા થઇ જશે તેવા ઉડાવ જવાબ મળે છે અને તોછડાઇભર્યું વર્તન પણ સરકારી બાબુઓ દ્રારા કરવામાં આવે છે તે હકીકત છે.

આ અંગે કલેકટરને કરાયેલ રજૂઆતમાં જણાવાયેલ છેકે આવા રેસીડન્ટ ગીચ એરીયામાં ઉંચાઇ ઉપર લગીવાયેલ ટાવર તાત્કાલીક હટાવવો જોઇએ તેવી ત્યાંના લતાવાસીઓની માંગણી છે.આજુબાજુમાં રહેતા અનેક લોકોને આની આડસરથી ગંભીર સમસ્યા ઉભી થાય છે તેથી વહેલી તકે આવા ગીચ એરીયામાં રહેલ ટાવરને હટાવવા અરજ કરાયેલ છે તેમજ વધુમાં જણાવાયા મુજબ એન.દલીચંદના ફલેટ તેમના નામે હોય તો તેમના દ્વારા મંજુરી લીધેલ છે કે કેમ ? અને આ અંગે યોગ્ય તપાસ કરવા સામાજીક કાર્યકરોએ માંગ કરેલ છે. આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યાઓએ આડેધડ મોબાઇલ ટાવર નાંખવામાં આવેલ છે તે તમામની શું મંજુરી આપવામાં આવેલ છે કે કેમ ? તેની યોગ્ય તપાસ કરાવવી જોઇએ.તે ઉપરાંત મોરબીના આ વિસ્તારના એપાર્ટમેન્ટના લોકો વેરો કે ટેકસ ભરતા નથી તે અંગે તથા આ ટાવરની કઇ રીતે મંજુરી મળેલ તે અંગે રહસ્ય અકબંધ છે આ ચાર માળની બિલ્ડીંગ ઉપર ત્રણ-ત્રણ ટાવર ફીટ કરેલ છે અને આજુબાજુના ગીચ વિસ્તારમાં મકાનોમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહયા છે તે વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે અને જો આ ટાવરો ગેરકાયદેસર હોય તો હટાવવામાં આવે તેવી સામાજીક કાર્યકરો તેમજ સ્થાનીક રહેવાસીઓએ માંગ કરી છે.

તેમજ આ ટાવરોનું આશરે ૨૫ થી ૩૦ હજાર રૂપિયા દર મહીને ભાડુ ઉઘરાવે છે. તેમજ આ વિસ્તારમાં ફલેટની અંદર જવા માટે રીક્ષા પણ ગેઇટ સુધી જઇ શકે તેટલી જગ્યા છોડેલ નથી તો કોઇ કુદરતી બનાવ બને કોઇ આગ લાગે કે અકસ્માત થાય સરકારના નિયમાનુસારની એનઓસી લીધેલ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.સરકારના નિયમ પ્રમાણે એનઓસી. લેવી ફરજીયાત છે તો કાયદાને ધોળીને આ લોકો પી ગયા છેકે શું..? રજૂઆતમાં એમ પણ જણાવ્યું છેકે આ અરજીને ઘ્યાને લઇને યોગ્ય કાર્યવાહી કરશો. હાલ આ જગ્યા કોના નામે છે..? નગરપાલીકામાં જુના મકાન માલીક પ્રફુલભાઇના નામને બોલે છે તો હજુ સુધી આ ફલેટના અસીલી માલીક કોણ છે તે અકબંધ છે. રેસીડન્સી અને ગીચ વિસ્તારમાં ટાવરને મંજુરી જ ન મળવી જોઇએ એવા નિયમો હોય તથા એપાર્ટમેન્ટ ઉપર પણ ટાવર ન હોવા જોઇએ જે અંગે પણ યોગ્ય તપાસ કરવા અરજ કરાયેલ છે.જેથી લોકોનું સ્વસ્થય બગડતુ અટકાવી શકાય. તેવી સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા , જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરચરીયાએ માંગ કરેલ છે.






Latest News