મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી શીશુ મંદીર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું


SHARE









મોરબી શીશુ મંદીર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું

મોરબીમાં તા.૩ ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. "દિવ્યાંગ" શબ્દ દ્વારા તેની વ્યાખ્યામાં માત્ર શબ્દની જ નહિ પરંતુ અર્થ સભરતાથી ચેતનવંતુ બનાવી દીધું છે. કુદરત અમુક અંગોની ઉણપ રાખે છે.ત્યારે અન્ય અંગોમાં અનેકગણી તાકાત ઉમેરી દે છે.મોરબીમાં વસવાટ કરતા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ સાથે સક્ષમ મોરબીની ટિમ અને યુવા આર્મીના સભ્યો તેમજ શિશુ મંદિર પરિવારના જયંતિભાઇ રાજકોટીયા સહીતનાઓ દ્રારા શિશુ મંદિર વિદ્યાલય શનાળા ખાતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું હતું.દિવ્યાંગ બાળકોનું સન્માન કરીને તેમજ મીઠાઈ આપીને તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યુ હતુ.

આત્મનિર્ભર ભારત સક્ષમ ભારતના ભાગરૂપે મોરબીમાં રહીને આત્મનિર્ભર દિવ્યાંગજનોનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતું.જેમાં મનોદિવ્યાંગ જય ઓરિયા, જયરાજસિંહ જાડેજા, વિજય રમેશભાઇ (ચાઈનીઝ પંજાબી), ચિંતન દીપેશભાઈ તેમજ સેરેબ્રલ પાલસી ધરીવતી દીકરી રાજલબેન મહેશભાઈ અને ફીઝીકલ દિવ્યાંગ પઢારીયા મયૂરભાઈ, ગોહીલ આનંદભાઈ, વાઘેલા રવીભાઈ, મઢવી નિર્મલભાઈ અને નકુલ મકવાણા ઉપસ્થિત રહ્યા હોય તેઓએ શીશુ મંદિર ખાતે યજ્ઞ કરીને ભારતમાતા પૂજન કર્યું હતું.






Latest News