મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા(મી)ના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના કહેતા યુવાનને ચાર શ્ખ્સોએ પાઇપ વડે માર માર્યો


SHARE











માળીયા(મી)ના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના કહેતા યુવાનને ચાર શ્ખ્સોએ પાઇપ વડે માર માર્યો

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદ નગર રેલવે ફાટક પાસે આવેલ ખેતરમાં ચાર શખ્સો દ્વારા ગાડી ફેરવવામાં આવતી હતી જેથી કરીને ખેતરના માલિક દ્વારા ગાડી ફેરવવાની ના પાડવામાં આવી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા જેમ ફાવે તેમ ગાળો આપીને યુવાનને લોખંડના પાઇપ વડે પગ પીઠના ભાગે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા ક્રિપાલસિંહ વિસુભા જાડેજા જાતે દરબાર (ઉંમર ૩૬)એ હાલમાં અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને મજબૂતસિંહ બળવંતસિંહ જાડેજા રહે બધા મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી અજયસિંહ જાડેજા તેના ખેતરની અંદર ગાડી ચલાવતા હોય તેઓને ગાડી ચલાવવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને અજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા અને મજબૂતસિંહ જાડેજાએ લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને પગમાં અને પીઠના ભાગે માર માર્યો હતો જેથી કરીને તેઓને ઇજાઓ થવાના કારણે તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આરોપીઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News