મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ऐक पेड माँ के नाम 2.0: મોરબીમાં કાલે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે


SHARE













ऐक पेड माँ के नाम 2.0: મોરબીમાં કાલે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં કાલે તા 13 ના રોજ શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ મોરબી, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સદભાવના ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ऐक पेड माँ के नाम 2.0” અભિયાન અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેર તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભાજપ પરિવારના આગેવાનો હોદેદારો સહિતના હાજર રહેશે અને પર્યાવરણના જતન માટેના આ કર્યામાં સહભાગી બનશે તેવી માહિતી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાસેથી જાણવા મળેલ છે. 

આ અભિયાન અંતર્ગત રફાળેશ્વર-જોધપર (નદી) રોડ, ભાણદેવજી આશ્રમની બાજુમાં, પટેલ છાત્રાલયની પાછળ, મોરબી ખાતે કાલે તા 13 ના રોજ સાંજે 4:00 કલાકે આયોજીત કાર્યક્રમમાં નાગરિકો માતાના નામે એક વૃક્ષ રોપશે. જનમાનસમાં પર્યાવરણ જાગૃતિ લાવવા તથા વૃક્ષ આવરણ વધારવાના હેતુ સાથે અંદાજિત 3 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે. જેમાં ગામના અને આસપાસના વિસ્તારના અતિથિઓ, નાગરિકો, ધાર્મિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, વિવિધ NGO તથા વિદ્યાર્થીઓની સહભાગીતા સાથે સદભાવના પૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવશે. કાર્યક્રમમાં અનેક સમાજસેવકો, પદાધિકારીઓ અને આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં સર્વ નાગરિકોને સમયસર હાજર રહી પર્યાવરણસ્નેહી કાર્યમાં સહભાગી બનવા સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે








Latest News