મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ભેંસોને પાણી પીવડાવવા ગયેલ બાળકીનું નદીમાં ડૂબી જવાના કારણે મોત


SHARE

















વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ભેંસોને પાણી પીવડાવવા ગયેલ બાળકીનું નદીમાં ડૂબી જવાના કારણે મોત

વાંકાનેર તાલુકાના વસુધરા ગામે રહેતા પરિવારની 11 વર્ષની દીકરી ભેંસોને પાણી પીવડાવવા માટે થઈને ગામના પાદરમાં આવેલ નદીએ ગઈ હતી દરમિયાન પગ લપસતા નદીના પાણીમાં તે બાળકી પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા જગદીશભાઈ હાડગરડા ની 11 વર્ષની દીકરી માનસીબેન હાડગરડા ગામની નજીક આવેલ બેનેયો નદીના કાંઠે ભેંસોને પાણી પીવડાવવા માટે થઈને લઈને ગઈ હતી દરમિયાન કોઈ કારણોસર તે બાળકીનો પગ લપસવાના કારણે તે નદીમાં પાણીમાં પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક બાળકીના પરિવારજન ભરતભાઈ નાથાભાઈ હાડગરડા (37) રહે વસુધરા ગામ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News