મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ભેંસોને પાણી પીવડાવવા ગયેલ બાળકીનું નદીમાં ડૂબી જવાના કારણે મોત


SHARE













વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ભેંસોને પાણી પીવડાવવા ગયેલ બાળકીનું નદીમાં ડૂબી જવાના કારણે મોત

વાંકાનેર તાલુકાના વસુધરા ગામે રહેતા પરિવારની 11 વર્ષની દીકરી ભેંસોને પાણી પીવડાવવા માટે થઈને ગામના પાદરમાં આવેલ નદીએ ગઈ હતી દરમિયાન પગ લપસતા નદીના પાણીમાં તે બાળકી પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા જગદીશભાઈ હાડગરડા ની 11 વર્ષની દીકરી માનસીબેન હાડગરડા ગામની નજીક આવેલ બેનેયો નદીના કાંઠે ભેંસોને પાણી પીવડાવવા માટે થઈને લઈને ગઈ હતી દરમિયાન કોઈ કારણોસર તે બાળકીનો પગ લપસવાના કારણે તે નદીમાં પાણીમાં પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક બાળકીના પરિવારજન ભરતભાઈ નાથાભાઈ હાડગરડા (37) રહે વસુધરા ગામ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News