મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત


SHARE











ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત

ટંકારાના ગણેશપર ગામે રહેતા આધેડ મહિલાને બીમારી સબબ રાજકોટ ખાતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે મહિલા બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલે મહિલાને પહોચાડતા ફરજ પરના ડોક્ટરે તે મહિલાને મૃત જાહેર કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા જશુબેન નાગજીભાઈ મેરા (54) નામના આધેડ મહિલાને બીમારી સબબ તેનો દીકરો સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતો હતો દરમિયાન રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને તેને હોસ્પિટલે લઈને પહોંચ્યા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

બાઇક સ્લીપ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ સોસાયટીમાં રહેતા નેહાબેન સુનિલભાઈ (29) નામની મહિલા પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મિલ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ શેરી નં-4 માં રહેતા દિનેશ બચુભાઈ દેવીપુજક (35) નામના યુવાનને ઉમિયા સર્કલથી આગળના ભાગમાં બ્રિજની નીચે મારામારીમાં ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News