મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હૃદયની અતિ ગંભીર અને જટિલ બીમારીને લીધે મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજા


SHARE













હૃદયની અતિ ગંભીર અને જટિલ બીમારીને લીધે મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજા

21 જુલાઈ, 2025 ના રોજ વહેલી સવારે 60 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે દર્દીની હાલત અતિ ગંભીર હતી. અને ડૉ.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને હૃદયનો મોટો હુમલો આવેલો છે. અને દર્દીના હૃદયનું પમ્પીંગ ફંક્શન બંધ થાય જતા દર્દીને CPR આપીને વેન્ટીલેટર મશીન ઉપર તાત્કાલિક ડૉ.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મુકવામાં આવ્યા હતા.તેમજ દર્દીનું બ્લડપ્રેશર માત્ર 60 SBP થઇ જતા બ્લડપ્રેશર વધારવા માટે ના ઇન્જેક્શન પણ આપવા પડ્યા, ત્યારબાદ દર્દીને હૃદયના મોટા હુમલાની અસરને લીધે હૃદયની બ્લોક થયેલી નળી ખોલવા માટેનું થ્રોમ્બોલાયસીસ માટેનું ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું, આ દરમિયાન ફરીથી દર્દીના હૃદયના ધબકારા અતિ ગંભીર થઈ જતા કે જેમાં જીવનું પણ જોખમ હોય છે.એવા થઇ જતા દર્દીને 4 DC SHOCK એટલે શોટના ઝટકા આપવા પડ્યા હતા.

આમ આટલી ગંભીર અને મરણાવસ્થામાં હોવા છતાં માત્ર ૩ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી અને દર્દીએ ડૉ. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલનો ખુબ આભાર માન્યો હતો.




Latest News