મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત


SHARE







મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત

રાજકોટમાં ફેફસાની બીમારી સબબ મોરબીના 43 વર્ષીય જેન્તીલાલ પરમારનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ, જેન્તીલાલ પ્રેમજીલાલ પરમાર (ઉંમર વર્ષ 43, રહે. ભક્તિનગર પાર્ક, મહેન્દ્રનગર, મોરબી-2 ગઈ તારીખ 26/7 ના રોજ બપોરે 3 વાગ્યાં આસપાસ પોતે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ આયુષ હોસ્પિટલ મોરબી, બાદ એચ.સી.જી. હોસ્પિટલ રાજકોટ, બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઇમરજન્સી વિભાગના ડોક્ટરે તપાસીને તારીખ 28/7 ના રોજ સાંજે 5:44 વાગ્યે મૃત જાહેર કર્યા હતા.

જેન્તીલાલ સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા.તેઓને લાંબા સમયથી ફેફસાની બીમારી હતી.તેઓ ત્રણ ભાઈમાં બીજા નંબરના હતા.તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે.સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.






Latest News