મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત


SHARE













મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત

રાજકોટમાં ફેફસાની બીમારી સબબ મોરબીના 43 વર્ષીય જેન્તીલાલ પરમારનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ, જેન્તીલાલ પ્રેમજીલાલ પરમાર (ઉંમર વર્ષ 43, રહે. ભક્તિનગર પાર્ક, મહેન્દ્રનગર, મોરબી-2 ગઈ તારીખ 26/7 ના રોજ બપોરે 3 વાગ્યાં આસપાસ પોતે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ આયુષ હોસ્પિટલ મોરબી, બાદ એચ.સી.જી. હોસ્પિટલ રાજકોટ, બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઇમરજન્સી વિભાગના ડોક્ટરે તપાસીને તારીખ 28/7 ના રોજ સાંજે 5:44 વાગ્યે મૃત જાહેર કર્યા હતા.

જેન્તીલાલ સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા.તેઓને લાંબા સમયથી ફેફસાની બીમારી હતી.તેઓ ત્રણ ભાઈમાં બીજા નંબરના હતા.તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે.સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.




Latest News