મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત


SHARE











મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત

મોરબીના રાજપર રોડ રામાપીર મંદિર પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જયારે ટંકારાના ખીજડીયા રોડ વાજા વાસમાં રહેતો યુવાન બાઇક લઈને જતો હતો તે બાઇક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવારમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.

મોરબીના સામાકાંઠે આવેલ કુબેટ ટોકીઝ પાછળ રહેતા વિશ્વરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (25) નામનો યુવાન તા 2/8 ને રવિવારે રાત્રે એક વાગ્યા આસપાસ મોરબીના રાજપર રોડ રામાપીર મંદિર પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે ઝાડ સાથે કોઈ કારણોસર બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થતાં તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં  સારવાર દરમ્યાન ગઇકાલે તા. 4/8 ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં ચાલુ સારવારમાં તેનું મોત નીપજયું હતું વધુમાં તેના ભાઈ વિરેન્દ્રસિંહ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તે રાજપર રહે છે અને તેઓના ઘરે તેનો ભાઈ આવી રહ્યો હતો ત્યારે તેનું બાઇક ઝાડ સાથે અથડાતાં અકસ્માત થયો હતો.

ટંકારાના ખીજડીયા રોડ વાજા વાસમાં રહેતા નરેશભાઈ ભુપતભાઈ પરમાર (22) ગત તા. 31/7 ના રોજ રાત્રિના 11:30 વાગ્યે પોતાના ઘર પાસે હતા અને મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને માથે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી માટે પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News