મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત


SHARE













મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત

મોરબીના રાજપર રોડ રામાપીર મંદિર પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જયારે ટંકારાના ખીજડીયા રોડ વાજા વાસમાં રહેતો યુવાન બાઇક લઈને જતો હતો તે બાઇક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવારમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.

મોરબીના સામાકાંઠે આવેલ કુબેટ ટોકીઝ પાછળ રહેતા વિશ્વરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (25) નામનો યુવાન તા 2/8 ને રવિવારે રાત્રે એક વાગ્યા આસપાસ મોરબીના રાજપર રોડ રામાપીર મંદિર પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે ઝાડ સાથે કોઈ કારણોસર બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થતાં તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં  સારવાર દરમ્યાન ગઇકાલે તા. 4/8 ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં ચાલુ સારવારમાં તેનું મોત નીપજયું હતું વધુમાં તેના ભાઈ વિરેન્દ્રસિંહ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તે રાજપર રહે છે અને તેઓના ઘરે તેનો ભાઈ આવી રહ્યો હતો ત્યારે તેનું બાઇક ઝાડ સાથે અથડાતાં અકસ્માત થયો હતો.

ટંકારાના ખીજડીયા રોડ વાજા વાસમાં રહેતા નરેશભાઈ ભુપતભાઈ પરમાર (22) ગત તા. 31/7 ના રોજ રાત્રિના 11:30 વાગ્યે પોતાના ઘર પાસે હતા અને મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને માથે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી માટે પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News