મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજસ્થાનના પાલી જિલ્લાના બેડા ગામના રહેવાસી સુરપાલસિંગ વીરસિંગ તનવર (૨૨) નામનો યુવાન માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નવકાર કોર્પોરેશન કંપનીની પાછળના ભાગમાં આવેલ નર્મદાની પાણીની કેનાલમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ મૃતક યુવાનોનો ભાઈ વિક્રમસિંગ તનવર તેના ભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ફડસર ગામ પાસે વાહન અકસ્માત બનાવમાં ઈજા પામતા અબ્દુલભાઈ આમદભાઈ જામ (૪૦) રહે.જામનગર ને અત્રે સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી કંડલા બાયપાસ એ.જે.માઇક્રોન નજીકથી બાઇક લઈને જતા સમયે રસ્તામાં કૂતરું આડુ ઉતરતા બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં સંજયભાઈ શાંતિલાલ જેઠલોજા (૫૬) રહે.અવધ સોસાયટી શેરી નંબર-૪ નાની કેનાલ રોડ ઇજાગ્રસ્ત થયેલા હોય તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ઘુંટુ ગામે રહેતા નરભેરામભાઇ નરસીભાઈ સોરીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધ બાઈક પાછળ બેસીને ખેતરએ જતા હતા ત્યારે ખેતર નજીક બાઇકમાંથી પડી જતા ઈજા પામતા અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.



Latest News