મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે આવેલ ખોડલધામ આશ્રમમાં મહંતને છરી બતાવીને ચાર શખ્સોએ કરી 87 હજારના મુદામાલની લૂંટ


SHARE











ટંકારાના મીતાણા પાસે આવેલ ખોડલધામ આશ્રમમાં મહંતને છરી બતાવીને ચાર શખ્સોએ કરી 87 હજારના મુદામાલની લૂંટ

ટંકારાના મીતાણા ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર તથા ખોડલધામ આશ્રમમાં રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચાર શખ્સો લૂંટ કરવા માટે આવ્યા હતા અને ત્યાં મહંતને છરી બતાવીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને દાનપેટીમાં રહેલ રૂપિયા અને બે મોબાઇલ ફોન મળીને કુલ 87,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી છે અને આરોપીઓ નાસી છૂટ્યા છે જેથી હાલમાં ભોગ બનેલ મહંતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ખોડીયાર મંદિર આશ્રમના મહંત રામચરણદાસ માતાજી નારણદાસજી (59)એ અજાણ્યા ચાર શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા.30/7 ના રાત્રીના દોઢથી બે વાગ્યાના અરસામાં અજાણ્યા 4 શખ્સો લૂંટ કરવા માટે ખોડલધામ આશ્રમના તાળાં તોડીને અંદર પ્રવેશ્યા હતા અને ફરિયાદી મહંતને છરી બતાવીને રાવી ધમકાવીને લાફા માર્યા હતા તેમજ ધક્કો મારીને નીચે પાડી દીધા હતા અને ત્યારબાદ ફરિયાદી કાનમાં પહેરેલ પોણા તોલાની સોનાની કડી જેની કિંમત 35,000, હાથમાં પહેરેલ ગેંડાનું કડુ, ચાંદીનું પડ ચડાવેલ વાળું જેની કિંમત 2000, ખેતીના ખર્ચા માટે કોથળીમાં રાખેલા રોકડા રૂપિયા 35,000, દાનપેટીમાંથી 5000 રૂપિયા અને બે જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત 10,000 રૂપિયા આમ કુલ મળીને 87,000 ની કિંમત ના મુદ્દા માલની લૂંટ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહંતે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને લૂંટ કરીને નાસી ગયેલ શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News