ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા: વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં આધેડને ધમકી


SHARE













અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા: વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં આધેડને ધમકી

વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં વાડીના શેઢે લગાવવામાં આવેલ ઝાટકા તારમાં શોટ લાગવાથી ગાયનું મોત નીપજયું હતું ત્યાં જોવા માટે ગયેલા આધેડને “અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા” તેવું કહી જીવતો દાટી દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ગાયત્રી મંદિરની બાજુમાં રહેતા અને ઘાસચારાનો વેપાર કરતા જગાભાઈ ધારાભાઈ કાંટોળીયા (50) નામના આધેડે અજાણ્યા બાઇક ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક વિડી ભોજપરા ગામની સીમમાં એકલધારની સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં ફરિયાદીના ભત્રીજા કાળુભાઈ દાનાભાઈ ગમારાની ગાય વાડીના શેઢે લગાવવામાં આવેલ ઝાટકા તારમાં શોર્ટ લાગવાના કારણે મૃત્યુ પામી હતી જે જગ્યાને જોવા માટે ફરિયાદી ગયેલ હતા ત્યારે બાઇક લઈને આવેલ શખ્સે ફરિયાદીને “અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા” તેમ કહી જીવતા દાટી દેવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.








Latest News