વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના પટેલ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આશીર્વાદ લીધા


SHARE













મોરબીના પટેલ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આશીર્વાદ લીધા

મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ આવેલ છે.આ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે.છેલ્લા ઘણા વર્ષોથી પટેલ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં વિવિધ પ્રકારના ફલોટ તૈયાર કરવામાં આવે છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.તેમજ જુદી જુદી થીમ મુજબ પણ ડેકોરેશન કરીને સામાજીક સંદેશ આપવામાં આવતા હોય છે.જેથી ત્યાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જે મુજબ આ ગણેશ ઉત્સવ ખાતે મોરબીના ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો પણ દર્શન માટે પહોંચ્યા હતા.જેમાં પૂર્વ મંત્રી અને પુર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા સહિતના ભાજપના આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો તથા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મહાદેવભાઇ પટેલ અને કે.ડી.બાવરવા સહિતના અગ્રણીઓએ પણ આ ગણેશ પંડાલ ખાતે પહોંચીને ગણપતિ મહારાજના આશીર્વાદ લીધા હતા.




Latest News