મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર પાસે ડબલ સવારી બાઇક જાનવર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ તરૂણનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરના રાણેકપર પાસે ડબલ સવારી બાઇક જાનવર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ તરૂણનું સારવારમાં મોત

વાંકાનેરના રાણેકપર પાસે બાપાસીતારામની મઢુલી નજીકથી નેશનલ હાઈવે રોડ ઉપર જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે અજાણ્યુ જાનવર આવી ગયું હતું જેથી તેની સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ તરૂણને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જો કે, તરૂણનું સારવારમાં મોત નીપજયું છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે રહેતા રણજીતભાઈ સાગઠીયાનો 15 વર્ષનો દીકરો દીપ ગત તા. 24/9 ના રોજ તેના મિત્ર કિશનભાઇ સાથે બાઈકમાં બેસીને ઘરે પરત આવી રહ્યો હતો અને ત્યારે રાણેકપર ગામ નજીક બાપાસીતારામની મઢુલી પાસે નેશનલ હાઈવે રોડ તરફ જવાના રસ્તા ઉપર તેઓના ડબલ સવારી બાઈકની આડે કોઈ અજાણ્યુ જાનવર આવ્યું હતું જેથી તેની સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દીપ સાગઠીયાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું અને આ બનાવમાં બાઈક ચલાવી રહેલ કિશનને પણ ઇજાથઈ હોવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના સામેકાંઠે સર્કિટ હાઉસ પાસે વિકાસ પાર્ક ખાતે આવેલ નંદવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાર્થ દિલીપભાઈ સંઘવી નામના 23 વર્ષના યુવાને કોઈ કારણસર તેના ઘરે ફિનાઇલ પી લીધુ હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ તથા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે સિરામિક સીટી ખાતે રહેતા ભાનુપ્રતાપસિંહ રામપ્રતાપસિંહ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનને તેના ઘર ખાતે મારામારીના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે સીવીલે ખસેડવામાં આવ્યો હતો. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News