મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર પાસે ડબલ સવારી બાઇક જાનવર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ તરૂણનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરના રાણેકપર પાસે ડબલ સવારી બાઇક જાનવર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ તરૂણનું સારવારમાં મોત

વાંકાનેરના રાણેકપર પાસે બાપાસીતારામની મઢુલી નજીકથી નેશનલ હાઈવે રોડ ઉપર જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે અજાણ્યુ જાનવર આવી ગયું હતું જેથી તેની સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ તરૂણને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જો કે, તરૂણનું સારવારમાં મોત નીપજયું છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે રહેતા રણજીતભાઈ સાગઠીયાનો 15 વર્ષનો દીકરો દીપ ગત તા. 24/9 ના રોજ તેના મિત્ર કિશનભાઇ સાથે બાઈકમાં બેસીને ઘરે પરત આવી રહ્યો હતો અને ત્યારે રાણેકપર ગામ નજીક બાપાસીતારામની મઢુલી પાસે નેશનલ હાઈવે રોડ તરફ જવાના રસ્તા ઉપર તેઓના ડબલ સવારી બાઈકની આડે કોઈ અજાણ્યુ જાનવર આવ્યું હતું જેથી તેની સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દીપ સાગઠીયાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું અને આ બનાવમાં બાઈક ચલાવી રહેલ કિશનને પણ ઇજાથઈ હોવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના સામેકાંઠે સર્કિટ હાઉસ પાસે વિકાસ પાર્ક ખાતે આવેલ નંદવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાર્થ દિલીપભાઈ સંઘવી નામના 23 વર્ષના યુવાને કોઈ કારણસર તેના ઘરે ફિનાઇલ પી લીધુ હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ તથા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે સિરામિક સીટી ખાતે રહેતા ભાનુપ્રતાપસિંહ રામપ્રતાપસિંહ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનને તેના ઘર ખાતે મારામારીના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે સીવીલે ખસેડવામાં આવ્યો હતો. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News