મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ શખ્સો 10,630 ની રોકડ સાથે પકડાયા


SHARE











વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ શખ્સો 10,630 ની રોકડ સાથે પકડાયા

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 10,630 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિતભાઈ જગદીશભાઈ વિજવાડીયા (25), રણછોડભાઈ જગદીશભાઈ વિજવાડીયા (32), વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા (25), ચતુરભાઈ ગોવિંદભાઈ ચાવડા (27) અને જયેશભાઈ શામજીભાઈ ચાવડા (32) રહે. બધા નવાપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,630 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વીંછી કરડી ગયો

માળીયા મીયાણા તાલુકાના રાયસંગપર ગામે રહેતા રાજેશભાઈ વશરામભાઈ સનારીયા (47) નામના યુવાનને ઘરે હતો ત્યારે ત્યાં વીંછી કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા ગીતાબેન ચંદુભાઈ રૂદાતલા (40) નામના મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News