મોરબીમાં વેરો ન ભરનારા 8 આસામીઓની મિલકતો સીલ કરી: 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ અપાશે વળતરની સ્પષ્ટતા પછી જ ખેતરમાં કામ, પહેલ ઉપાડો સમાન: માળીયા (મી)ના રસંગપર ગામના ખેડૂતોના આક્રોશ સામે વીજ પોલ ઉભા કરતી ખાનગી કંપની ઝૂકી મોરબીના આમરણ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની 1,59,300 ની રોકડ સાથે ધરપકડ: એક ફરાર તું અહીં દારૂ લેવા ન આવતો કહીને મોરબીના જાંબુડીયા ગામ પાસે યુવાનને ઢીકાપાટું અને લાકડાના ધોકા વડે મારમાર્યો હળવદના જુના દેવળીયા ગામે કારમાંથી 144 બોટલ દારૂ ઝડપાયો, કુલ 4.58 લાખનો મુદ્દામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના નવા સાપકડા ગામે પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપતા ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરમાં કૂવામાં ડૂબી જવાથી અને હળવદના જુના અમરાપર પાસે કેનાલમાં ડૂબી જવાથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર


SHARE















મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર

મોરબીમાં યુવાને આપઘાત કર્યો હતો જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પત્રકાર સહિત 11 સામે ગુનો નોંધાયો હતો જે ચકચારી આપઘાત કેસમાં પત્રકાર ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન આગોતરા જામીન મંજુર કર્યા છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી બી. ડીવીઝન,આ ફરીયાદી જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ ફરીયાદ આપેલી હતી કે, તેનો ભાઈ નિલેશભાઈએ પોતાની ઓફીસમાં જંતુનાશક દવા પીને આપઘાત કર્યો છે અને તેની પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી હતી જેમાં 11 શખસોના નામ હતા જેના આધારે સ્યૂસાઇટ નોટની ખરાઈ કરાવ્યા પછી ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વ્યાજના પૈસા માટે દબાણ કરતાં હોવાથી આપઘાત કર્યો છે તેવી ફરિયાદ નોંધાઈ હતી. જે 11 પૈકીનાં અરજદાર/ આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ મોરબી એડી. સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા મોરબીના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજા તથા એડવોકેટ મહાવીરસિંહ એ. જાડેજા (ચાંદલીવાળા) મારફત આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને મોરબીના સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબે આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાના 50 હજારના શરતોને આધીન આગોતરા જામીન મંજૂર કર્યા છે.






Latest News