મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર


SHARE













મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર

મોરબીમાં યુવાને આપઘાત કર્યો હતો જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પત્રકાર સહિત 11 સામે ગુનો નોંધાયો હતો જે ચકચારી આપઘાત કેસમાં પત્રકાર ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન આગોતરા જામીન મંજુર કર્યા છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી બી. ડીવીઝન,આ ફરીયાદી જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ ફરીયાદ આપેલી હતી કે, તેનો ભાઈ નિલેશભાઈએ પોતાની ઓફીસમાં જંતુનાશક દવા પીને આપઘાત કર્યો છે અને તેની પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી હતી જેમાં 11 શખસોના નામ હતા જેના આધારે સ્યૂસાઇટ નોટની ખરાઈ કરાવ્યા પછી ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વ્યાજના પૈસા માટે દબાણ કરતાં હોવાથી આપઘાત કર્યો છે તેવી ફરિયાદ નોંધાઈ હતી. જે 11 પૈકીનાં અરજદાર/ આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ મોરબી એડી. સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા મોરબીના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજા તથા એડવોકેટ મહાવીરસિંહ એ. જાડેજા (ચાંદલીવાળા) મારફત આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને મોરબીના સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબે આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાના 50 હજારના શરતોને આધીન આગોતરા જામીન મંજૂર કર્યા છે.






Latest News