મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો


SHARE













મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ઓમ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને ગાંજો, મોબાઈલ વિગેરે મળીને 33,850 ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.ની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના એસપી મુકેશ પટેલની સૂચના મુજબ એસઓજીના પીઆઇ એન.આર. મકવાણા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં મુકેશભાઇ જોગરાજીયા તથા કમલેશભાઇ ખાંભલીયાને બાતમી મળેલ હતી કે, અનુજકુમાર રમેશચંદ્ર વર્મા નામનો યુપીએનો શખ્સ ગેરકાયદે નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખીને અમદાવાદથી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવનાર છે. જે બાતમી આધારે વોચ રાખવામા આવી હતી દરમ્યાન મળેલ બાતમી મુજબનો શખ્સ પસાર થતાં તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી ગાંજાનો જથ્થો 2.885 કિ.ગ્રામ જેની કિંમત 28,850 તેમજ એક મોબાઇલ ફોન જેની કિંમત 5000 આમ કુલ મળીને 33,850 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી અનુકુમાર રમેશચંદ્ર નમી (27) રહે. હાલ-ભુલભુલીયા બેલ તાલુકો ફોહન ઉત્તરપ્રદેશ, હાલ રહે. વોર્ડ નં 15, રાવણભાટા કલાન, (વિરાન) બાગબહારા છતીસગઢ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની જુદીજુદી કલમ હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી પીઆઇ એન.આર.મકવાણાની સૂચના મુજબ પીએસઆઈ કે.આર.કેસરીયા તેમજ મુકેશભાઈ જોગરાજીયા, ફારૂકભાઇ પટેલ, મનસુખભાઇ દેગામડીયા, જુવાનસિંહ રાણા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાંયુ, ફતેસિંહ પરમાર તથા અશ્વિનભાઈ લોખીલ દ્વારા કરવામાં આવી હતી.




Latest News