મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો


SHARE











મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ઓમ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને ગાંજો, મોબાઈલ વિગેરે મળીને 33,850 ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.ની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના એસપી મુકેશ પટેલની સૂચના મુજબ એસઓજીના પીઆઇ એન.આર. મકવાણા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં મુકેશભાઇ જોગરાજીયા તથા કમલેશભાઇ ખાંભલીયાને બાતમી મળેલ હતી કે, અનુજકુમાર રમેશચંદ્ર વર્મા નામનો યુપીએનો શખ્સ ગેરકાયદે નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખીને અમદાવાદથી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવનાર છે. જે બાતમી આધારે વોચ રાખવામા આવી હતી દરમ્યાન મળેલ બાતમી મુજબનો શખ્સ પસાર થતાં તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી ગાંજાનો જથ્થો 2.885 કિ.ગ્રામ જેની કિંમત 28,850 તેમજ એક મોબાઇલ ફોન જેની કિંમત 5000 આમ કુલ મળીને 33,850 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી અનુકુમાર રમેશચંદ્ર નમી (27) રહે. હાલ-ભુલભુલીયા બેલ તાલુકો ફોહન ઉત્તરપ્રદેશ, હાલ રહે. વોર્ડ નં 15, રાવણભાટા કલાન, (વિરાન) બાગબહારા છતીસગઢ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની જુદીજુદી કલમ હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી પીઆઇ એન.આર.મકવાણાની સૂચના મુજબ પીએસઆઈ કે.આર.કેસરીયા તેમજ મુકેશભાઈ જોગરાજીયા, ફારૂકભાઇ પટેલ, મનસુખભાઇ દેગામડીયા, જુવાનસિંહ રાણા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાંયુ, ફતેસિંહ પરમાર તથા અશ્વિનભાઈ લોખીલ દ્વારા કરવામાં આવી હતી.






Latest News