મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી સીટી તથા તાલુકામાં બે મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી સીટી તથા તાલુકામાં બે મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી સીટી વિસ્તાર તથા તાલુકા વિસ્તારમાં બે મામલતદારોની જગ્યા ખાલી છે.જેને લઈને અહીંના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને ખાલી જગ્યાઓ લોકહિતમાં તાત્કાલીક ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લો ધણા સમયથી બન્યો છે પરંતુ સુવિધાને નામે મીંડુ છે.આજે મોરબી તાલુકા તથા મોરબી સીટી કચેરીમાં બંને મામલતદારોની જગ્યા ખાલી છે.મામલતદાર એટલે કે તાલુકા મેજીસ્ટેટ જેવો હોદો અને મહતવની જગ્યા ગણાય છતા આ બંને જગ્યા હાલમા ધણા સમયથી ખાલી છે ! અને હાલમાં અન્યને ચાર્જ આપી ચલાવવામાં આવે છે.જેથી ચાર્જમાં રહેલ અધિકારી કર્મચારી નિતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી અને અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.રેગ્યુલર મામલતદાર ન હોવાને કારણે પ્રજાના અસંખ્ય કામો હાલમાં અટકી પડેલ છે અને મોરબી શહેર તેમજ તાલુકાની પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે આ બાબતે મોરબીના કલેકટરને અવાર નવાર રજુઆત કરેલ પરંતુ કોઈ નક્કર પરિણામ આવેલ નથી.અહીનું વહીવટી તંત્ર અંધેરી નગરીને ગંડુરાજા ની કહેવત સમાન ચાલે છે.અધિકારીઓ કે કર્મચારીઓ પ્રજાના પ્રશ્નોની કાઈ દરકાર કરતા નથી અને એસી ઓફિસોમાં બેસીને મોજ મજા કરે છે. અધિકારીઓની અનઆવડત કે બેદરકારીને કારણે પ્રજામાં ધણો જ અસંતોષ ફેલાયેલ છે અને આવા અમુક અધિકારીને કારણે ગુજરાતની ભાજપ સરકાર બદનામ થાય છે.જેની અસર આવતી ચુંટણીમાં થાય તો નવાઈ નહી.તો આ બાબતે તાત્કાલીક મહતવની બંને મામલતદારની ખાલી જગ્યા ભરવા પી.પી.જોષીએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે.






Latest News