મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

કાયદો વ્યવસ્થા ખાડે !: મોરબી અપહરણ કરીને માર માર્યો તે યુવાનને એ ડિવિઝનમાં અધિકારીની હાજરીમાં સામે વાળાએ આપી ધમકી ?


SHARE













કાયદો વ્યવસ્થા ખાડે !: મોરબી અપહરણ કરીને માર માર્યો તે યુવાનને એ ડિવિઝનમાં અધિકારીની હાજરીમાં સામે વાળાએ આપી ધમકી ?

મોરબીમાં રહેતો યુવાન તેના મિત્ર પાસેથી કાર માંગીને બે મહિના પહેલા લઈ ગયો હતો અને ત્યારે બગથળા પાસે અજાણ્યા શખ્સો કારની આદેવ ધોકા લઈને આવ્યા હતા અને કારના હપ્તા ચડી ગયા છે, કાર લઈ જવાની છે તેવું કહ્યું હતું જેથી યુવાને જેની કાર હતી તેને આ અંગેની જાણ કરી હતી જેથી કાર તે કાર વાળો ત્યાં આવ્યો હતો અને કાર લેવા આવેલા શખ્સોને કાર આપી દેવા માટે તેને કહ્યું હતું જેથી યુવાને કાર આપી દીધી હતી અને તેના બે દિવસ પછી યુવાનને કાર વાળાએ ફોન કરીને તારે ત્રણ લાખ આપવાના છે તેવું કહ્યું હતું. અને તે રૂપિયા યુવાન આપી શક્યો ન હતો જેથી તેના ઘરેથી યુવાનનું અપહરણ કરીને લઈ ગયા હતા અને તેને પાંચ જેટલા શખ્સોએ વારાફરતી મારમાર્યો હતો. જેથી યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાન ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાય છે જો કે, એ ડિવિઝન પોલીસ તેની ફરિયાદ લેતી નથી. આટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીની હાજરીમાં સામેવાળાએ ભોગ બનેલ યુવાનને ધમકી આપી હતી. જેથી મોરબીની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

મોરબી શહેર અને જિલ્લામાં યેનકેન પ્રકારે લોકોને ફસાવીને તેની પાસેથી પૈસા પડાવવામાં આવે તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં મૂળ બેલા આમરણ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ અમી એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા પાર્થ સુંદરજીભાઈ બોપલિયા (19) નામના યુવાનને શક્તિ બોરીચા સહિત પાંચ જેટલા શખ્સોએ અપહરણ કરીને મારમાર્યો હતો. જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ ભોગ બનેલા યુવાનનું નિવેદન લીધેલ છે જોકે, છેલ્લા ત્રણ દિવસથી ભોગ બનેલ યુવાન ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાય છે તેમ છતાં પણ પોલીસ તેની ફરિયાદ લેતી નથી જેથી મોરબી પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઈ પનારાએ ભોગ બનેલ યુવાન અને તેના પિતાને સાથે રાખીને પત્રકાર પરિષદ કરી હતી.

જેમાં ભોગ બનેલા પાર્થ બોપલિયાએ જણાવ્યું હતું કે શક્તિ બોરીચા તેનો મિત્ર છે અને બે મહિના પહેલા તેણે શક્તિ બોરીચા પાસેથી ગાડી માંગી હતી અને બગથળા ગામ બાજુ તે ગાડી લઈને ગયો હતો ત્યાં દરમિયાન અજાણ્યા ચાર શખ્સો ધોકા લઈને ગાડીની આડે આવ્યા હતા અને ગાડીને ઊભી રાખવી હતી અને કહ્યું હતું કે, ગાડી ઉપર હપ્તા ચડી ગયા છે. જેથી પાર્થએ ફોન કરીને શક્તિ બોરીચાને ત્યાં બોલાવતા તે આવી ગયો હતો અને ગાડી લેવા આવેલા શખ્સોને ગાડી આપી દેવા માટે કહ્યું હતું અને ત્યારબાદ શક્તિ બોરીચા જે ગાડી લઈને આવ્યો હતો તેમાં પાર્થ મોરબી આવ્યો હતો. આ ઘટનાના બે દિવસ પછી શક્તિ બોરીચાએ પાર્થને ફોન કર્યો હતો અને ત્રણ લાખ રૂપિયા તારે આપવ પડશે તેવું કહ્યું હતું. જેથી ગભરાઈ ગયેલા યુવાને પૈસા કટકે કટકે આપીશ તેવું કહ્યું હતું અને તે પૈસા આપ્યા ન હતા જેથી તા. 1/9 ના રોજ પાર્થનું તેના ઘરેથી શક્તિ બોરીચાએ અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેના અન્ય મિત્રો સહિત પાંચ જેટલા શખ્સોએ નાની વાવડી પાસે કેનાલ નજીક માર માર્યો હતો. જેથી ઇજા પામેલ પાર્થને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી. જો કે, હજુ સુધી ભોગ બનેલ યુવાનની ફરિયાદ લેવામાં આવી નથી.

પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા મનોજભાઈ પનારાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાર્થ બોપલિયા જેવા નવ યુવાનોને યેનકેન પ્રકારે ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે આ યુવાને શક્તિ બોરીચા પાસેથી ગાડી માંગી હતી અને તે ગાડીને લઈ ગયો હતો પરંતુ તે ગાડી ઉપર ચડી ગયેલ હપ્તા તેને ભરવાના ન હોય તે સ્વાભાવિક રીતે સહુ કોઈ સમજી શકે તેમ છે. જોકે તેને ડરાવી ધમકાવીને તેની પાસેથી પૈસા પડાવવા માટેનો કારસો રચવામાં આવ્યો હતો અને પાર્થનું અપહરણ કરીને તેને માર પણ મારવામાં આવ્યો છે આટલું જ નહીં છેલ્લા બે દિવસથી પાર્થ અને તેના પિતાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ  છે તો પણ તેની ફરિયાદ લેતા નથી અને ભોગ બનેલ યુવાનને તેના પિતા અને મનોજભાઈની તેમજ પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓની હાજરીમાં સામેવાળાએ ધમકી આપી હતી. જે મોરબીની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલ છે. ખાસ કરીને મનોજભાઈએ કહ્યું હતું કે, પાર્થ બોપલિયા જેવા યુવાનોની ફરિયાદ લઈને કાર્યવાહી કરવાના બદલે પોલીસ જ સીધો ન્યાય કરતી હોય તો મોરબીમાં કોર્ટને તાળા મારી દેવાની જરૂર છે. અને જો આવી જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં એસપી, રેન્જ આઈજી, ડીજી અને ગૃહમંત્રી સુધી રજૂઆત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવેલ છે.






Latest News