મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે બની રહેલ વનના નામકરણને લઈને વિવાદ, મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE











મોરબીના જોધપર પાસે બની રહેલ વનના નામકરણને લઈને વિવાદ: મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબીમાં બનવા જઈ રહેલ વનનું નામ મોરબીના રાજવી પરિવાર સાથે અથવા  તો મોરબીની અસ્મિતા સાથે જોડવાની માંગ કરવામાં આવેલ છે અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં એક ખુબજ સરસ સરાહનીય કામ સદભાવના ટ્રસ્ટ, મોરબી પાંજરાપોળ અને  મોરબીના  ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મોરબી સ્ટેટ દ્વારા દાનમાં આપવામાં આવેલ જમીન ઉપર એક વ્રુક્ષ વનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે, મોરબીના ધારાસભ્ય પોતાના અંગત સ્વાર્થ માટે આ વનને “નમો વન” નામ આપવા પ્રયાસ કરી રહ્યાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. ત્યારે આ વનની જગ્યા રાજવી પરિવાર દ્વારા આપવામાં આવેલ છે જેથી કાંતો તેના નામ ઉપર નામકરણ કરવામાં આવે અથવા શ્રીમદ રાજચન્દ્રજીનું નામ આપવામાં આવે અથવા તો  મોરબીની અસ્મિતા સાથે જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. તેમજ આઝાદીની લડાઈ લડી હોઈ તેવાના નામે નામકરણ કરવામાં આવે જેમ કે સરદારવન”, “સહીદવનવગેરે નામ આપી શકાય તેમ છે. જેથી “નમો વન” નામ ન આપવાની માંગ કરી છે. અને જો તેઓની માંગને ધ્યાને લેવામાં નહી આવે તો મોરબીના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક  કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News