મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે બની રહેલ વનના નામકરણને લઈને વિવાદ, મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE











મોરબીના જોધપર પાસે બની રહેલ વનના નામકરણને લઈને વિવાદ: મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબીમાં બનવા જઈ રહેલ વનનું નામ મોરબીના રાજવી પરિવાર સાથે અથવા  તો મોરબીની અસ્મિતા સાથે જોડવાની માંગ કરવામાં આવેલ છે અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં એક ખુબજ સરસ સરાહનીય કામ સદભાવના ટ્રસ્ટ, મોરબી પાંજરાપોળ અને  મોરબીના  ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મોરબી સ્ટેટ દ્વારા દાનમાં આપવામાં આવેલ જમીન ઉપર એક વ્રુક્ષ વનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે, મોરબીના ધારાસભ્ય પોતાના અંગત સ્વાર્થ માટે આ વનને “નમો વન” નામ આપવા પ્રયાસ કરી રહ્યાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. ત્યારે આ વનની જગ્યા રાજવી પરિવાર દ્વારા આપવામાં આવેલ છે જેથી કાંતો તેના નામ ઉપર નામકરણ કરવામાં આવે અથવા શ્રીમદ રાજચન્દ્રજીનું નામ આપવામાં આવે અથવા તો  મોરબીની અસ્મિતા સાથે જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. તેમજ આઝાદીની લડાઈ લડી હોઈ તેવાના નામે નામકરણ કરવામાં આવે જેમ કે સરદારવન”, “સહીદવનવગેરે નામ આપી શકાય તેમ છે. જેથી “નમો વન” નામ ન આપવાની માંગ કરી છે. અને જો તેઓની માંગને ધ્યાને લેવામાં નહી આવે તો મોરબીના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક  કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News