મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે બની રહેલ વનના નામકરણને લઈને વિવાદ, મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE













મોરબીના જોધપર પાસે બની રહેલ વનના નામકરણને લઈને વિવાદ: મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબીમાં બનવા જઈ રહેલ વનનું નામ મોરબીના રાજવી પરિવાર સાથે અથવા  તો મોરબીની અસ્મિતા સાથે જોડવાની માંગ કરવામાં આવેલ છે અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં એક ખુબજ સરસ સરાહનીય કામ સદભાવના ટ્રસ્ટ, મોરબી પાંજરાપોળ અને  મોરબીના  ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મોરબી સ્ટેટ દ્વારા દાનમાં આપવામાં આવેલ જમીન ઉપર એક વ્રુક્ષ વનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે, મોરબીના ધારાસભ્ય પોતાના અંગત સ્વાર્થ માટે આ વનને “નમો વન” નામ આપવા પ્રયાસ કરી રહ્યાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. ત્યારે આ વનની જગ્યા રાજવી પરિવાર દ્વારા આપવામાં આવેલ છે જેથી કાંતો તેના નામ ઉપર નામકરણ કરવામાં આવે અથવા શ્રીમદ રાજચન્દ્રજીનું નામ આપવામાં આવે અથવા તો  મોરબીની અસ્મિતા સાથે જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. તેમજ આઝાદીની લડાઈ લડી હોઈ તેવાના નામે નામકરણ કરવામાં આવે જેમ કે સરદારવન”, “સહીદવનવગેરે નામ આપી શકાય તેમ છે. જેથી “નમો વન” નામ ન આપવાની માંગ કરી છે. અને જો તેઓની માંગને ધ્યાને લેવામાં નહી આવે તો મોરબીના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક  કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News