મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી


SHARE













મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી

મોરબીના કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન અને સરસ્વતી નિકેતન આશ્રમની બાજુમાં પાંજરાપોળની મસમોટી જગ્યામાં ૧૦ લાખ વૃક્ષોનું  મિયાવાકી  જંગલ બનાવવાનું કામ પૂર્ણતાને આરે છે.

તા.૧૭-૯ ના રોજ મુખ્યમંત્રી દ્વારા, માનનીય પ્રધાનમંત્રીને તેમના જન્મ દિવસે મોરબીથી અર્પણ કરવામાં આવનાર હોય આ સમારોહમાં મોરબી જિલ્લાના ૭૫ એવા દિવંગત મહાનુભાવો કે જેઓએ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, કલા, રમતગમત, ધાર્મિક કે અન્ય ક્ષેત્રમાં, મોરબીને ગૌરવ અપાવ્યું હોય, તેવા વ્યક્તિ વિશેષની એક પ્રદર્શની ગોઠવવામાં આવનાર છે.આ પ્રદર્શનીમાં એવા સંખ્યાબંધ મહાનુભાવો હશે.જેનો સામાન્ય રીતે બધાને પરિચય નહીં હોય.તેવી અલભ્ય પ્રદર્શની નિહાળવા તથા ૧૦ લાખ વૃક્ષોના લોકાર્પણ સમારોહ થવાનો હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીની કોર ટીમના હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી, કિરણભાઈ કાચરોલા મંત્રી, નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી, રમેશભાઈ ચાવડા, સહ કોશાધ્યક્ષ રમેશભાઈ ભાટિયા વગેરે કાર્યકર્તાઓએ નમોવન તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઈ ઉઘરેજા સાથે મુલાકાત લઈ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.






Latest News