મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન 


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન 

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે અને આગામી તા 21 ને  રવિવારે બપોરે દોઢ વાગ્યેથી મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે 16 મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.

મોરબીમાં દર વર્ષે જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે જેમાં સમસ્ત આહીર સમાજના વિદ્યાર્થીઓને તથા વર્ગ-1 અને વર્ગ-2 ના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વવાણિયા માતૃશ્રી રામબાઈ મા ની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ હાજર રહેશે. તે ઉપરાંત રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, મયુરનગર માતૃશ્રી રામબાઈ મા મંદિરના મહંતા વ્રજકિશોરીબેન, મુખ્ય વક્તા તરીકે ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ ભેડા સહિતના સમાજના આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમના સૌજન્ય વેણાસરના વતની અરજણભાઈ મેરામભાઈ હુંબલ છે. જેથી સમાજના દીકરી દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના લોકોને હાજર રહેવા માટે સમસ્ત આહીર સમાજના પ્રમુખ દિનેશભાઈ હુંબલ અને મંત્રી મયુરભાઈ ગાજીયાએ આમંત્રણ આપ્યું છે.




Latest News