મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત


SHARE













મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત

મોરબીના વજેપર શેરી નં-23 પાસે સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને તે બાબતને લઈને સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે જેથી આ બાબતે સામાજિક કાર્યકરો દ્વારા હાલમાં મહાપાલિકાના કમિશનર અને મોરબીના ધારાસભ્યને લેખિત રજૂઆત કરીને દબાણ દૂર કરવા માટે થઈને તાત્કાલિક પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, ગીરીશભાઈ કોટેચા, જગદીશભાઈ બાંભણિયા તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા મહાકાલિકાના કમિશનર અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના વજેપર શેરી નં-23 માં આવેલ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં ભૂંડ પકડીને રાખવામાં આવે છે જેના કારણે ગંદકી ફેલાય છે અને દુર્ગંધ આવતી હોય છે અને રોગચાળો ફેલાવવાની દહેશત હોય છે આટલું જ નહીં ત્યાં બાજુના જ વિસ્તારમાં આંગણવાડી આવેલ છે અને આંગણવાડી પણ જર્જરીત હાલતમાં  છે જેથી ગંદકીના કારણે બાળકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય તેવી શક્યતા છે જેથી મહાપાલિકાની ટીમ દ્વારા વજેપર શેરી નં 23 અને 22 તરફ જવાના રસ્તા ઉપર જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં ગેરકાયદેસર દબાણ દૂર કરીને ગંદકી સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.




Latest News