મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે પાસેનો બનાવ: ઝેરી દવા પી ગયેલ હાલતમાં મળી આવેલ યુવાન અને પરિણીતાનું સારવારમાં મોત


SHARE











મોરબીના પંચાસર ગામે પાસેનો બનાવ: ઝેરી દવા પી ગયેલ હાલતમાં મળી આવેલ યુવાન અને પરિણીતાનું સારવારમાં મોત

મોરબીના પંચાસર ગામ પાસે કોઈ કારણોસર યુવાને અને મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન પહેલા યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ આજે વહેલી સવારે મહિલાનું પણ મોત નીપજયું છે જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યાવહી શરૂ કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારણભાઈ મિયાત્રા (43) અને મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા અમીનાબેન અનવરભાઇ રાજા (45) નામની મહિલા મોરબી નજીકના પંચાસર ગામ પાસેથી ગત તા 20 ના રોજ ઝેરી દવા પીધેલી હાલમાં મળી આવ્યા હતા જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને રાજેશભાઈ નારણભાઈ મિયાત્રાને મૃત જાહેર કર્યા હતા.ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.તેવામાં સારવારમાં રહેલ અમીનાબેન અનવરભાઇ રાજાનું આજે તા.22-9 ન રોજ વહેલી સવારે ચારેક વાગ્યે મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે તેની પણ નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક મહિલા અમીનાબેન અનવરભાઇ રાજા ગત તા.4/9 ના રોજ મોરબીની માળીયા ફાટક ચોકડી પાસેથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધાની અરજી કરવામાં આવી હતી અને તે મહિલાને શોધવા માટે પોલીસ અને પરિવારના લોકો પ્રયત્ન કરી રહ્યા હતા તેવામાં પંચાસર ગામ પાસેથી અમીનાબેન અનવરભાઇ રાજા ઝેરી દવા પીધેલ હાલતમાં મળી આવ્યા હતા જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેમનું પણ મોત નીપજયું છે.






Latest News