મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે પાસેનો બનાવ: ઝેરી દવા પી ગયેલ હાલતમાં મળી આવેલ યુવાન અને પરિણીતાનું સારવારમાં મોત


SHARE













મોરબીના પંચાસર ગામે પાસેનો બનાવ: ઝેરી દવા પી ગયેલ હાલતમાં મળી આવેલ યુવાન અને પરિણીતાનું સારવારમાં મોત

મોરબીના પંચાસર ગામ પાસે કોઈ કારણોસર યુવાને અને મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન પહેલા યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ આજે વહેલી સવારે મહિલાનું પણ મોત નીપજયું છે જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યાવહી શરૂ કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારણભાઈ મિયાત્રા (43) અને મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા અમીનાબેન અનવરભાઇ રાજા (45) નામની મહિલા મોરબી નજીકના પંચાસર ગામ પાસેથી ગત તા 20 ના રોજ ઝેરી દવા પીધેલી હાલમાં મળી આવ્યા હતા જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને રાજેશભાઈ નારણભાઈ મિયાત્રાને મૃત જાહેર કર્યા હતા.ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.તેવામાં સારવારમાં રહેલ અમીનાબેન અનવરભાઇ રાજાનું આજે તા.22-9 ન રોજ વહેલી સવારે ચારેક વાગ્યે મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે તેની પણ નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક મહિલા અમીનાબેન અનવરભાઇ રાજા ગત તા.4/9 ના રોજ મોરબીની માળીયા ફાટક ચોકડી પાસેથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધાની અરજી કરવામાં આવી હતી અને તે મહિલાને શોધવા માટે પોલીસ અને પરિવારના લોકો પ્રયત્ન કરી રહ્યા હતા તેવામાં પંચાસર ગામ પાસેથી અમીનાબેન અનવરભાઇ રાજા ઝેરી દવા પીધેલ હાલતમાં મળી આવ્યા હતા જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેમનું પણ મોત નીપજયું છે.






Latest News