મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











માળીયા (મી)ના વવાણીયા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મિયાણાં તાલુકાના વવાણીયા ગામે તળાવમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા કુલદીપભાઈ વિઠ્ઠલભાઈ ખીમાણીયા (19) નામનો યુવાન ગામે આવેલ તળાવમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન તળાવમાં મૂર્તિ ધોવા માટે થઈને ગયો હતો દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે તે પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેને મોત નીપજયું હતું.

જનાવર કરડી ગયું

મોરબીના લાલપર ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં રહેતા પપ્પુભાઈ પાટીલના 6 વર્ષના દીકરા કાર્તિકને કોઈ જનાવર કરડી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી અસર થતાં સારવારમાં

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ પાંડયાભાઇ રાઠવા (35) નામનો યુવાન ખેતરમાં ઝેરી દવાણો છંટકાવ કરતો હતો ત્યારે તેને ઝેરી અસર થવાના કારણે તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News