મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિર્ટનના કેસમાં 18 માસની સજા, 3.50 લાખનો દંડ: વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ


SHARE







મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિર્ટનના કેસમાં 18 માસની સજા, 3.50 લાખનો દંડ: વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ

મોરબીની કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ ચાલી ગયો હતો જે કેસમાં 18 માસની કેદની સજા 3,50,000 નો દંડ તથા વ્યાજ સહીત ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી જીગરભાઈ અમૃતલાલ દરજી તથા રમેશભાઈ વાલજીભાઇ ચૌધરી બંને મહેસાણાના વતની હતા અને બંને વર્ષોથી સબંધ હતો જેથી રમેશભાઈએ ફરિયાદી તથા તેમના માતા પાસેથી સને 2012 થી 2016 દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધા હતા ત્યારબાદ સમય જતા ફરિયાદીને રકમની જરૂરિયાત પડતા ફરિયાદી તેની પાસેથી રકમની માંગણી કરી હતી જેથી રમેશભાઈએ કહ્યું હતું કે, તમને ટુકડે ટુકડે રકમ ચૂકવી આપીશ તેવો ફરિયાદીને રમેશભાઈની સાથે સમજૂતી કરાર થયેલ હતો અને તે કરાર મુજબ રમેશભાઈએ ચાર ચેક ફરિયાદીને આપેલ તે ચેક પૈકી એક ચેક રૂપિયા 3,50,000 નો તા. 25/12/2019 નો આપેલ હતો જે ફરિયાદીએ તેઓની બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો જેથી ફરિયાદી જીગરભાઈ દ્વારા નોટીશ આપવામાં આવી હતી છતાં રમેશભાઈએ રકમની ચુકવણી કરેલ ન હતી જેથી ફરિયાદી જીગરભાઈએ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ચાલી જતા ફરિયાદી પક્ષે રજૂ કરાયેલ પુરાવો તથા દલીલ તેમજ રજુ કરાયેલ ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીના એડીસનલ ચીફ જ્યુડી મેજી. જજ પી.પી.શાહ સાહેબે સામે વાળા રમેશભાઈ વાલજીભાઇ ચૌધરીને 18 માસની કેદની સજા અને રૂપિયા 3,50,000 નો દંડ તથા ફરિયાદીને ફરિયાદ કર્યાની તારીખથી 9 ટકા વ્યાજ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. અને જો દંડ ચૂકવવામાં કસૂર કરવામાં આવે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં ફરિયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી. પુજારા રોકાયેલ હતા






Latest News