માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિર્ટનના કેસમાં 18 માસની સજા, 3.50 લાખનો દંડ: વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ


SHARE













મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિર્ટનના કેસમાં 18 માસની સજા, 3.50 લાખનો દંડ: વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ

મોરબીની કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ ચાલી ગયો હતો જે કેસમાં 18 માસની કેદની સજા 3,50,000 નો દંડ તથા વ્યાજ સહીત ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી જીગરભાઈ અમૃતલાલ દરજી તથા રમેશભાઈ વાલજીભાઇ ચૌધરી બંને મહેસાણાના વતની હતા અને બંને વર્ષોથી સબંધ હતો જેથી રમેશભાઈએ ફરિયાદી તથા તેમના માતા પાસેથી સને 2012 થી 2016 દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધા હતા ત્યારબાદ સમય જતા ફરિયાદીને રકમની જરૂરિયાત પડતા ફરિયાદી તેની પાસેથી રકમની માંગણી કરી હતી જેથી રમેશભાઈએ કહ્યું હતું કે, તમને ટુકડે ટુકડે રકમ ચૂકવી આપીશ તેવો ફરિયાદીને રમેશભાઈની સાથે સમજૂતી કરાર થયેલ હતો અને તે કરાર મુજબ રમેશભાઈએ ચાર ચેક ફરિયાદીને આપેલ તે ચેક પૈકી એક ચેક રૂપિયા 3,50,000 નો તા. 25/12/2019 નો આપેલ હતો જે ફરિયાદીએ તેઓની બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો જેથી ફરિયાદી જીગરભાઈ દ્વારા નોટીશ આપવામાં આવી હતી છતાં રમેશભાઈએ રકમની ચુકવણી કરેલ ન હતી જેથી ફરિયાદી જીગરભાઈએ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ચાલી જતા ફરિયાદી પક્ષે રજૂ કરાયેલ પુરાવો તથા દલીલ તેમજ રજુ કરાયેલ ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીના એડીસનલ ચીફ જ્યુડી મેજી. જજ પી.પી.શાહ સાહેબે સામે વાળા રમેશભાઈ વાલજીભાઇ ચૌધરીને 18 માસની કેદની સજા અને રૂપિયા 3,50,000 નો દંડ તથા ફરિયાદીને ફરિયાદ કર્યાની તારીખથી 9 ટકા વ્યાજ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. અને જો દંડ ચૂકવવામાં કસૂર કરવામાં આવે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં ફરિયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી. પુજારા રોકાયેલ હતા




Latest News